સૈફ અલી ખાને હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સુશાંત સિંહ રાજપૂત પાસે ઊજળું ભવિષ્ય હતું. હાલમાં જ ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં સૈફ અલી ખાને સુશાંતને લઈ વાત કરી હતી. સૈફે સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’માં સાથે કામ કર્યું હતું. સૈફનો આ ફિલ્મમાં સ્પેશિયલ રોલ છે.
શું કહ્યું સૈફે?
સૈફ અલી ખાને સુશાંતને ટેલેન્ટેડ એક્ટર હતો અને તેના દેખાવના પણ કર્યાં હતાં. સૈફે કહ્યું હતું કે સુશાંત તેની સાથે અલગ અલગ મુદ્દા પર વાત કરવા માગતો હતો. તેને લાગતું હતું કે સુશાંતનું ભવિષ્ય ઊજળું છે. તે ઘણી જ વિન્રમતાથી તેની સાથે વાત કરતો હતો અને ફિલ્મમાં તેના રોલના પણ વખાણ કર્યાં હતાં. તે તેની સાથે જ્યોતિષશાસ્ત્રતથા તત્વજ્ઞાન જેવા મુદ્દા પર વાત કરવા ઈચ્છતો હતો. તેને અંદરથી એવી લાગણી થતી હતી કે તેના કરતાં સુશાંતનું ભવિષ્ય વધુ સારું હતું. ઉલ્લેખનીય છે કે સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી.
નેપોટ્ઝિમ પર પણ વાત કરી
સૈફ અલી ખાને નેપોટિઝ્મના મુદ્દે પણ વાત કરી હતી. સૈફે કહ્યું હતું કે તેને આશા છે કે વધુને વધુ બોલવાથી તથા દલીલોથી એક સારું પરિવર્તન લાવી શકાય છે. ભારતમાં અસમાનતા જોવા મળે છે અને આ વાતને બહાર લાવવાની જરૂર છે. નેપોટિઝ્મ, ફેવરિટિઝ્મ તથા કેમ્પ અલગ-અલગ વિષયો છે. તે પણ નેપોટિઝ્મનો ભોગ બન્યો હતો પરંતુ કોઈએ આ મુદ્દે વાત કરી નહીં. જોકે, હવે તે ખુશ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો આ મુદ્દે વધુને વધુ બોલી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ ડિઝ્ની પ્લસ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મને મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંઘી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dPJ7lp
https://ift.tt/3gmrRGn
No comments:
Post a Comment
If you have any doubts please let me know!