Friday, July 17, 2020

સતત બીજા દિવસે પોલીસે મનોચિકિત્સકની પૂછપરછ કરી, એક્ટરે ચાર ડોક્ટર પાસે સારવાર કરાવી હતી

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં પોલીસ પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે એક્ટરે શા માટે આવું પગલું ભર્યું. સુશાંતે જે ડોક્ટર્સ પાસે સારવાર કરાવી તે ડોક્ટર્સની પોલીસે પૂછપરછ કરી છે. કહેવાય છે કે ડોક્ટર કેરસી ચાવડા ઉપરાંત સુશાંત અન્ય ત્રણ ડોક્ટર્સ પાસે પણ સારવાર કરાવતો હતો. સુશાંત છેલ્લાં કેટલાંક સમયથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલતી હતી.

સુશાંતના મનોચિકિત્સક ડૉ.ચાવડાની 16 જુલાઈના રોજ પૂછપરછ કરવામાં આવી હતી અને બીજા દિવસે પણ તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ચાવડા ઉપરાંત અન્ય ત્રણ ડોક્ટર્સને પણ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા.

સુશાંત સાથે સંકળાયેલા દસ્તાવેજો લેવામાં આવ્યા
સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે, પોલીસે ડૉ.ચાવડા પાસેથી સુશાંતની સારવાર દરમિયાન તેની કેસ હિસ્ટ્રી, સારવાર સાથે જોડાયેલી ફાઈલ, દવા, કાઉન્સિલિંગ સહિતા દસ્તાવેજો લીધા છે અને આ મુદ્દે પૂછપરછ કરવામાં આવી છે.

અત્યાર સુધી 35થી વધુ લોકોની પૂછપરછ
14 જૂનથી અત્યાર સુધી પોલીસે 35થી વધુ લોકોની પૂછપરછ કરી છે, જેમાં તેના નિકટના મિત્રો, પરિવાર, પ્રેમિકા રિયા ચક્રવર્તી, ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા, યશરાજ બેનરના પૂર્વ અધિકારીઓ સામેલ છે. ફિલ્મમેકર શેખર કપૂરે ઈમેલથી પોતાનું સ્ટેટમેન્ટ પોલીસને આપ્યું છે.

CBI તપાસની માગણી
સુશાંતના અવસાન બાદથી CBI તપાસની માગણી કરવામાં આવી રહી છે. એક્ટ્રેસ રૂપા ગાંગુલી, શેખર સુમન પછી ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી તથા સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ પણ CBIની ડિમાન્ડ કરી છે. સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે તો રિયાએ ટ્વીટ કરીને ગૃહમંત્રી અમિત શાહને CBI તપાસ કરવાની માગણી કરી છે.

પોલીસ રિયાના બેંક અકાઉન્ટની તપાસ કરી રહી છે
16 જુલાઈ, ગુરુવારે એ વાત સામે આવી હતી કે પોલીસ રિયા ચક્રવર્તીના બેંક અકાઉન્ટની તપાસ કરી રહી છે. પોલીસને પુરાવા મળ્યા છે કે રિયા, સુશાંતના પૈસા ખર્ચ કરતી હતી. પોલીસ એ તપાસ કરી રહી છે કે રિયાએ કેટલાં પૈસા ખર્ચ કર્યાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસ કરન જોહર, આદિત્ય ચોપરા તથા સલમાન ખાનની પૂછપરછ કરશે નહીં.

સુશાંતની બહેનની બીજીવાર પૂછપરછ થશે
સુશાંતની બહેન મીતુની પોલીસ બીજીવાર પૂછપરછ કરશે. પોલીસ મીતુને સુશાંતના અંગત જીવન અને તેમાંય ખાસ કરીને રિયા ચક્રવર્તી સાથેના સંબંધો અંગે જાણવા માગે છે. આ પહેલાં પોલીસે કુક નીરજની છ કલાક પૂછપરછ કરી હતી.

14 જૂને સુશાંતે આત્મહત્યા કરી હતી
પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે શ્વાસ રુંધાવાને કારણે સુશાંતનું અવસાન થયું હતું. સુશાંતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. માનવામાં આવે છે કે સુશાંત છ મહિનાથી ડિપ્રેશનમાં હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant suicide case police questioned actors psychiatrist


from Divya Bhaskar https://ift.tt/2WqnvGn
https://ift.tt/2CbxUiE

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...