Monday, May 18, 2020

નવાઝુદ્દીન સિદ્દીકી પરિવાર સાથે મુંબઈથી ઉત્તર પ્રદેશ ગયો, 14 દિવસ સુધી હોમ ક્વૉરન્ટીન

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેનો પરિવાર ઉત્તર પ્રદેશના મુઝ્ફફરનગરના બુધનામાં 14 દિવસ માટે ક્વૉરન્ટીન રહેશે. નવાઝ તથા તેના પરિવારે મેડિકલ સ્ક્રિનિંગ કરાવ્યું હતું અને તેમનો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.

નવાઝ 11 મેએ યુપી સ્થિત ઘરે પહોંચ્યો
નવાઝે ટ્રાવેલ પાસ લીધો હતો અને તે 11 મેના રોજ પોતાના ઉત્તર પ્રદેશ સ્થિત ઘરે પહોંચ્યો હતો. નવાઝ તથા તેના પરિવારને 14 દિવસ (25 મે સુધી) ક્વૉરન્ટીન થવાનું કહેવામાં આવ્યું છે. નવાઝની સાથે તેની માતા, ભાઈ તથા ભાભી પણ હતાં. નવાઝે કહ્યું હતું કે મુંબઈથી યુપી સુધીની જર્નીમાં 25વાર મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

બુધના પોલીસ સર્કલના સ્ટેશન હાઉસ ઓફિસર કુશલપાલ સિંહે એક નિવેદનમાં કહ્યું હતું કે આરોગ્ય અધિકારીઓએ એક્ટરના ઘરની મુલાકાત લીધી હતી અને તેમને 14 દિવસ ક્વૉરન્ટીન થવાનો ઓર્ડર આપ્યો હતો.

નવાઝ ‘ઘૂમકેતુ’માં જોવા મળશે
નવાઝની ફિલ્મ ‘ઘૂમકેતુ’ 22 મેના રોજ ડિજિટલ પ્લેટફોર્મ ઝી5 પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ, ઈલા અરૂણ, રઘુવીર યાદવ, રાગિણી ખન્ના મહત્ત્વના રોલમાં છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રણવીર સિંહ તથા સોનાક્ષી સિંહ સ્પેશિયલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને પુષ્પેન્દ્રનાથ મિશ્રાએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં નવાઝે લેખકનો રોલ પ્લે કર્યો છે અને તે ફિલ્મમાં કામ કરવાનું સપનું પૂરું કરવા માટે મુંબઈ આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bolywood actor Nawazuddin Siddiqui, family quarantined at home in UP


from Divya Bhaskar https://ift.tt/3bIG0L2
https://ift.tt/2LELgEW

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...