ટોલિવૂડ અને બોલિવૂડ એક્ટ્રેસ નિધિ અગ્રવાલ હાલની સંકટની સ્થિતિમાં શ્રમિકોની મદદ માટે આગળ આવી છે. કોરોના મહામારીમાં શ્રમિકો તેમના ઘરે પરત જવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમને મુસાફરીમાં ભૂખ્યા ન રહેવું પડે તે માટે નિધિ ભોજન પૂરું પાડી રહી છે.
Migrant meals 💪🏼🙏🏼 pic.twitter.com/gExVoSC2Us
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) May 30, 2020
નિધિએ તેનો ફોટો શેર કર્યો છે જેમાં તે બ્રેડ પર જામ લગાવીને એલ્યુમિનિયમ ફોઈલમાં તેને પેક કરી રહી છે. તેણે ફોટો નીચે લખ્યું કે, માઈગ્રન્ટ મીલ. આ પોસ્ટ નીચે ઘણા યુઝરે તેના વખાણ કરતી કમેન્ટ કરી હતી જેના એક જવાબમાં નિધિએ લખ્યું કે, આ મારી જવાબદારી છે.
🙏🏼 my duty
— Nidhhi Agerwal (@AgerwalNidhhi) May 30, 2020
નિધિ અગ્રવાલે 2017માં ‘મુન્ના માઈકલ’ ફિલ્મથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. ટાઇગર શ્રોફ અને નિધિ અગ્રવાલ સ્ટારર આ એક્શન ફિલ્મને સબ્બીર ખાને ડિરેક્ટ કરી હતી. આ સિવાય નિધિએ તેલુગુ ફિલ્મ્સ પણ કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZTjEED
https://ift.tt/3djO1rB
No comments:
Post a Comment
If you have any doubts please let me know!