શુક્રવારે (29 મે)ના રોજ હિંદી સિનેમાના જાણીતા વેટરન ગીતકાર યોગેશ ગૌરનું 77 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. તેમણે અનેક ક્લાસિકલ ફિલ્મમાં ગીતો લખ્યા હતાં. લતા મંગેશકરે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે રાજેશ ખન્ના તથા અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘આનંદ’નું ગીત ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે..’ તથા ‘ઝિંદગી કૈસી હૈં પહેલી હાય..’ તેમના જાણીતા ગીતો હતાં.
લતા મંગશકરે ટ્વીટ કરી
લતાજીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘મને હાલમાં જ ખબર પડી કે હૃદયને સ્પર્શી જનારા ગીત લખનાર કવિ યોગેશજીનું આજે નિધન થયું છે. આ સાંભળીને મને ઘણું જ દુઃખ થયું. યોગેશજીએ લખેલા ઘણાં ગીતો મેં ગાયા છે. યોગેશ ઘણાં જ શાંત તથા મધુર સ્વભાવના વ્યક્તિ હતાં. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.’
Mujhe abhi pata chala ki dil ko chunewale geet likhnewale kavi Yogesh ji ka aaj swargwas hua. Ye sunke mujhe bahut dukh hua.Yogesh ji ke likhe kai geet maine gaaye. Yogesh ji bahut shaant aur madhur swabhav ke insan the. Main unko vinamra shraddhanjali arpan karti hun.
— Lata Mangeshkar (@mangeshkarlata) May 29, 2020
19 માર્ચ, 1943માં લખનઉમાં જન્મેલા યોગેશ ગૌરે સાઠ તથા સિત્તેરના દાયકામાં અનેક સારા ગીતો હિંદી સિનેમાને આપ્યા હતાં. તેમણે ખાસ કરીને ઋષિકેશ મુખર્જી તથા બાસુ ચેટર્જીની ફિલ્મ માટે ગીતો લખ્યાં હતાં. તેમણે પોતાની કરિયરની શરૂઆત 1962માં ‘સખી રોબિન’ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ માટે તેમણે છ ગીતો લખ્યાં હતાં. 1974માં ફિલ્મ ‘રજનીગંધા’, ‘છોટી સી બાત’ (1976) તથા ‘બાતો બાતો મૈં’ (1979), ‘મંઝિલ’ (1979), ‘બેવફા સનમ’ (1995) તથા છેલ્લે 2003માં ફિલ્મ ‘શશશ...’ના ગીતો લખ્યાં હતાં. તેમણે ટીવી સિરિયલ્સ માટે પણ થોડું કામ કર્યું હતું. તેમના લોકપ્રિય ગીતની વાત કરીએ તો ‘મંઝિલ’ ફિલ્મનું ગીત ‘રિમ-ઝિમ ગિરે સાવન...’, ‘રજનીગંધા’નું ગીત ‘કઈ બાર યૂ ભી દેખા હૈં’, ‘મિલી’નું ગીત ‘બડી સુની સુની હૈં’ તથા ‘બાતો બાતો મૈં’ નું ગીત ‘ના બોલે તુમ ના મૈંને કુછ કહાં.’ સહિતના ગીતો લોકપ્રિય થયા હતાં.
એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ‘જે જોયું હતું, જે જીવતો હતો, તે જ લખ્યું છે. હું હંમેશાં મારી આસપાસના લોકો અંગે લખતો.’ ઉલ્લેખનીય છે કે આ પહેલાં હિંદી સિનેમાએ ઈરફાન ખાન તથા રિશી કપૂર જેવા દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા હતાં.
એક્ટર તથા ફિલ્મમેકર નિખીલ દ્વિવેદીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ‘તમારા જેવા વ્યક્તિ એક માત્ર હતાં. અમે તમને તમારો હક આપી શક્યા નહીં પરંતુ તમારા દરેક મોતી હંમેશાં રહેશે. તમે મારા મનપસંદ હતાં. તમે લિજેન્ડ હતાં.’
#YOGESH
— Nikhil Dwivedi (@Nikhil_Dwivedi) May 29, 2020
Gems one after the other..
Pedestrian so often finds more resonance with the Pop Culture that we end up ignoring class or don't recognise it the way it should have been.. #SongWriter#RareGenius#LostLegend pic.twitter.com/8J0ptUFdvr
વરૂણ ગ્રોવરે કહ્યું હતું, અલવિદા યોગેશ સાબ, અનેક સારા ગીતો લખ્યાં હતાં. તેમણે સાદગી તથા ઊંડાણ વચ્ચેની જગ્યા શોધી લેતા હતાં.
Alvida Yogesh saab. Writer of so many gems (Kahin Door Jab, Rimjhim Gire Saawan, Zindagi Kaisi Hai Paheli et al) - he always managed to find the sweet spot between simplicity and depth.
— वरुण 🇮🇳 (@varungrover) May 29, 2020
"जब मैं रातो में तारे गिनता हूँ
और तेरे कदमों की आहट सुनता हूँ
लगे मुझे हर तारा, तेरा दर्पण" pic.twitter.com/88OOFTfzZu
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ewKt5k
https://ift.tt/2zzgvPD
No comments:
Post a Comment
If you have any doubts please let me know!