Tuesday, May 12, 2020

અર્ચના પૂરણ સિંહની પોસ્ટ પર યુઝરે કમેન્ટ કરી કે શો-ઓફ કરવા આવી જાય છે, એક્ટ્રેસે જવાબ આપ્યો

કોરોનાવાઈરસ સામેની લડાઈમાં બોલિવૂડ સેલેબ્સ શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે. અર્ચના પૂરણ સિંહ પણ તેમાં બાકાત નથી. અર્ચના પૂરણ સિંહે હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડ્યું તે અંગેની પોસ્ટ કરી હતી. જોકે, આ પોસ્ટ પર એક યુઝરે એવી કમેન્ટ કરી હતી કે અર્ચના શો-ઓફ કરી રહી છે. આ કમેન્ટ્ પર અર્ચનાએ સહેજ પણ ગુસ્સે થયા વગર રિપ્લાય આપ્યો હતો.

અર્ચનાએ દુકાનદાર તથા ડ્રાઈવરનો આભાર માન્યો
અર્ચનાએ એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં એક મહિલના ચહેરા પર માસ્ક છે અને તેના હાથમાં કરિયાણું છે. આ તસવીર શૅર કરીને અર્ચનાએ દુકાનદાર મોહન તથા ડ્રાઈવર દિનેશનો આભાર માન્યો હતો. અર્ચનાએ ચાહકોને અપીલ કરી હતી કે જરૂરિયાતમંદ લોકોને શક્ય તેટલી મદદ કરવી. આ પોસ્ટ પર અનેક યુઝર્સે અર્ચનાના વખાણ કર્યાં હતાં. જોકે, એક યુઝરે અર્ચનાના આ પરોપકારી કાર્યને શો-ઓફ ગણાવ્યું હતું.

View this post on Instagram

Ye ehsaas hi kaafi hai ki aap kisi ke bure waqt mein madad kar sake. Aur iss se bura aur KYA waqt aayega? Today is day 49 of our lockdown. PLEASE HELP THOSE IN NEED. LOOK AROUND YOUR NEIGHBORHOOD. YOU WILL SEE MANY WHO NEED YOUR HELP. I want to thank Mohan of Yash General Stores (the local ration shop owner) who assists me in identifying those who come to his shop, unable to pay even for their basic requirements. And my driver Dinesh who locates those in our Madh village who are struggling to survive. This is an appeal for each one of us to help our brothers and sisters in desperate need. Apne aas paas aur mohalle waalon ki madad karein. Agar har Hindustani apne padosi ki madad karega toh koi bhi bhooka nahin rahega. Bahut dhanyawaad 🙏🏼

A post shared by Archana Puran Singh (@archanapuransingh) on May 12, 2020 at 2:20am PDT


યુઝરે શું કમેન્ટ કરી?
યુઝરે કમેન્ટ કરી હતી, શો ઓફ કરવા માટે આવે છે. આના પર અર્ચનાએ જવાબ આપ્યો હતો કે કોઈની પોસ્ટ પર નેગેટિવ કમેન્ટ્સ કરવાને બદલે બીજાને મદદ કરવી જોઈએ. અર્ચનાએ આ કમેન્ટના રિપ્લાયમાં કહ્યું હતું, મને દુઃખ થયું કે તમે આ વાતને આવી રીતે લીધી. હું ઘણું જ ખરાબ ફીલ કરે છે. મને આશા છે કે તમારા હૃદયમાં એટલી ભલાઈ રાખો કે તમે બીજાની ભલાઈ પણ ઓળખી શકો. માત્ર હું જ નહીં હજારો લોકો બીજાને મદદ કરી રહ્યાં છે. મહેરબાની કરીને નેગેટિવ પોસ્ટ્સ કરવાને બદલે બીજા લોકોને મદદ કરો.

યુઝરે આ દાવો કર્યો
યુઝરે દાવો કર્યો હતો કે તે પણ બીજાને મદદ કરે છે પરંતુ તે સોશિયલ મીડિયામાં ક્યારેય પોસ્ટ કરતી નથી. આના પર અર્ચનાએ કહ્યું હતું, જો તમે આટલા જ સારા છો અને લોકોની મદદ કરી રહ્યાં છો તો તે સારી વાત છે. જો તમે જાતે પોસ્ટ ના કરતા હોવ તો બીજાની પોસ્ટ પર નેગેટિવ પોસ્ટ કેમ કરો છો? અહીંયા પણ તે જ ભલાઈ બતાવ તો વિશ્વાસ થઈ જાય કે તમે સાચે જ અમારાથી બહુ જ સારા છો.

ઉલ્લેખનીય છે કે અર્ચના હાલમાં મડ આઈલેન્ડ સ્થિત પોતાના બંગલામાં પતિ પરમિત સેઠી, દીકરાઓ આર્યમાન તથા આયુષ્માન સાથે લૉકડાઉન પીરિયડ પસાર કરે છે. અર્ચના સોશિયલ મીડિયામાં અવાર-નવાર પોતાના ઘરના તથા નોકરાણી ભાગ્યશ્રી સાથેના વીડિયો શૅર કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
User commented on Archana Puran Singh's post that she comes to do show-off, the actress replied


from Divya Bhaskar https://ift.tt/2Wsd2Lk
https://ift.tt/2Llu0EP

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...