રિશી કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’નું થોડું શૂટિંગ બાકી હતું. તે પહેલાં જ રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થઇ ગયું. હવે ફિલ્મમેકર્સ તેમની આ અધૂરી ફિલ્મને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX)નો ઉપયોગ કરીને પૂરી કરશે. ફિલ્મના પ્રોડ્યુસર હની ત્રેહાને કન્ફર્મ કર્યું કે રિશી કપૂરની અંતિમ ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થશે.
તેમણે જણાવ્યું કે લીડ એક્ટર વગર ફિલ્મના ડિરેક્ટર હિતેશ ભાટિયા અને તેમની ટીમને શૂટિંગ પૂરું કરવું એ એક ચેલેન્જ છે. પરંતુ અમે એડવાન્સ ટેક્નોલોજી VFX અને અમુક સ્પેશિયલ ટેક્નિકનો ઉપયોગ કરીને ફિલ્મને પૂરી કરશું. અમે અમુક VFX સ્ટુડિયો સાથે વાત કરી રહ્યા છીએ. ફિલ્મની કાસ્ટમાં જુહી ચાવલા પણ છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું.ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં થઇ ગયું હતું. લોકડાઉન શરૂ થયું ત્યારે માત્ર 4 જ દિવસનું શૂટિંગ પેન્ડિંગ હતું. તેમણે ખાતરી આપી કે રિશી કપૂરની આ અંતિમ ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થશે.
પ્રોડ્યુસર હની ત્રેહાને કહ્યું કે, અમે આ ફિલ્મ થિયેટરમાં રિશી કપૂરના મિત્રો, પરિવાર અને ફેન્સ માટે લઇ જવા ઇચ્છીએ છીએ. હું રિતેશ અને ફરહાન અખ્તરનો આભાર માનું છું કે જેઓ આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે. તેમણે આ ફિલ્મમાં માત્ર પૈસાનું જ રોકાણ નહીં, લાગણીઓનું રોકાણ પણ કર્યું છે.
બે વર્ષથી કેન્સર સામે જંગ લડનાર રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ 67 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતું. સેલેબ્સે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મૃત્યુ પહેલાં તેમની થિયેટરમાં રિલીઝ થયેલ અંતિમ ફિલ્મ ઇમરાન હાશ્મી સ્ટારર ધ બોડી ફિલ્મ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35Hk2a6
https://ift.tt/2WeNPUs
No comments:
Post a Comment
If you have any doubts please let me know!