Wednesday, June 10, 2020

અમિતાભ બચ્ચને 500 શ્રમિકો માટે ત્રણ ફ્લાઈટ્સ બુક કરી

બોલિવૂડ સેલેબ્સ શ્રમિકોને તેમના ઘરે પહોંચાડવામાં મદદ કરી રહ્યાં છે. સોનુ સૂદ પોતાની રીતે મુંબઈના શ્રમિકોને તેમના વતન પરત મોકલી રહ્યો છે. હવે, અમિતાભ બચ્ચને 500 વર્કર્સ માટે ત્રણ ફ્લાઈટ બુક કરી છે. આ શ્રમિકો તેમના વતન વારાણસી જશે. આ પહેલાં અમિતાભે શ્રમિકો માટે બસની વ્યવસ્થા કરી હતી અને તેમને ઉત્તર પ્રદેશ મોકલ્યા હતાં.

ન્યૂઝ પેપર મિડ ડેના રિપોર્ટ પ્રમાણે, અમિતાભ બચ્ચન આ વિગતો જાહેર થાય તેવું ઈચ્છતા નહોતાં અને તેથી જ એ રીતે કામ કરવામાં આવ્યું છે. અમિતાભે શ્રમિકોને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ઈન્ડિગો એરલાઈન્સની મુંબઈથી વારાણસીની ફ્લાઈટ બુક કરાવી હતી. આ ફ્લાઈટ બુધવાર (10 જૂન)ના રોજ સવારે ઉપડી હતી. આ ફ્લાઈટમાં 180 શ્રમિકો વારાણસી ગયા હતાં. તમામ શ્રમિકોને સવારે છ વાગે એરપોર્ટ આવી જવાની સૂચના આપવામાં આવી હતી. શરૂઆતમાં આ તમામ શ્રમિકોને ટ્રેનમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ તે શક્ય બન્યું નહીં. 10 જૂને જ અન્ય બે ફ્લાઈટ અલ્હાબાદ તથા ગોરખપુર માટે બુક કરવામાં આવી હતી.

આ તમામ વ્યવસ્થા અમિતાભ બચ્ચનના નિકટના લોકોની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચને અન્ય રાજ્યોના શ્રમિકો માટે પણ ફ્લાઈટ્સની પણ વ્યવસ્થા કરી છે. આ ફ્લાઈટ્સ પશ્ચિમ બંગાળ, બિહાર, તમિળનાડુ તથા અન્ય રાજ્યો માટે બુક કરવામાં આવશે.

10 બસની વ્યવસ્થા કરી હતી
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને અઠવાડિયા પહેલાં 10 બસની વ્યવસ્થા કરી હતી. આ બસ અમિતાભ બચ્ચનના વતન એટલે કે ઉત્તરપ્રદેશ માટેની હતી. આ બસ 29 મેના રોજ મુંબઈના હાજી અલી દરગાહ પરથી ઉપડી હતી.

આ પહેલાં અમિતાભે ઓલ ઈન્ડિયા ફિલ્મ એમ્પ્લોઈસના એક લાખ રોજમદાર શ્રમિકોને મદદ કરી હતી. તેમણે આ પરિવારોને મહિનાનું રાશન આપ્યું હતું. આ ઉપરાંત કરન જોહર તથા ઝોયા અખ્તરની ફંડ રાઈઝિંગ કોન્સર્ટ ‘આઈ ફોર ઈન્ડિયા’માં અમિતાભે ભાગ લીધો હતો. તેમણે રિશી કપૂરને ભાવુક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ કોન્સર્ટથી 52 કરોડ રૂપિયા ભેગા થયા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan booked three flights for the workers


from Divya Bhaskar https://ift.tt/2Ydh5uk
https://ift.tt/2XR18LH

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...