Sunday, June 28, 2020

નાના પાટેકર સુશાંત સિંહ રાજપૂતના ઘરે ગયા, પરિવારના સભ્યોને મળીને ભાવુક થયા

ફિલ્મ એક્ટર નાના પાટેકર રવિવારે સુશાંત સિંહ રાજપૂતના પટનાના ઘરે પહોંચ્યા હતા. સુશાંતના પરિવારના સભ્યોને મળીને નાના પાટેકર ભાવુક થઇ ગયા હતા. તેમણે સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહને સાંત્વના આપી ધીરજ રાખવા કહ્યું. નાના પાટેકરે કહ્યું કે, સુશાંત સાફ દિલનો માણસ હતો. તેને ન્યાય જરૂર મળશે. સુશાંતના મૃત્યુથી આખો દેશ દુઃખી છે.

નાના પાટેકર બે દિવસ બિહાર ગયા હતા હતા. તેઓ એક NGOના કાર્યક્રમમાં ગયા હતા ત્યારબાદ તે પટના પહોંચ્યા. સુશાંતના રાજીવનગર સ્થિત ઘરે જઈને તેના પરિવારને આશ્વાશન આપ્યું અને હિંમત આપી. 14 જૂને સુશાંતે તેના મુંબઈના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. શનિવારે સુશાંતનું તેરમું પટનાના તેના ઘરે કરવામાં આવ્યું. મુંબઈ પોલીસ સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે.

સુશાંતના મૃત્યુ બાદ તેના ઘરે એક્ટર્સ અને નેતાઓ આવતા રહે છે. થોડા દિવસ અગાઉ ભોજપુરી ગાયક અને ભાજપ સાંસદ મનોજ તિવારી, ખેસારી લાલ યાદવ, અક્ષર સિંહ પણ સુશાંતના ઘરે આવ્યા હતા. ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી અને વિપક્ષ નેતા તેજસ્વી યાદવ પણ સુશાંતના પરિવારને મળવા આવ્યા હતા અને દિલાસો આપ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Film actor Nana Patekar arrives at Sushant Singh's house, gets emotional meeting family


from Divya Bhaskar https://ift.tt/2B7xo4F
https://ift.tt/31nPDgJ

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...