Friday, June 26, 2020

પિતા કે કે સિંહે કહ્યું, કેટલાંક વર્ષોથી એકલો રહેતો હતો, છેલ્લી વાતચીત લગ્નને લઈ થઈ હતી

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેમનો દીકરો 2021માં લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો. સિંહના મતે, સુશાંત સાથે તેમણે જ્યારે છેલ્લીવાર વાત કરી ત્યારે લગ્નની જ વાત થઈ હતી. 14 જૂનના રોજ સુશાંત સિંહે મુંબઈમાં આત્મહત્યા કરી હતી. તે ડિપ્રેશનમાં હતો, તેમ માનવામાં આવી રહ્યું છે. એક્ટરના પિતાએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં આ વાત શૅર કરી હતી.

સુશાંતે કહ્યું હતું, એક ફિલ્મ આવશે
કે કે સિંહે કહ્યું હતું કે સુશાંત સાથે તેમણે લગ્નને લઈ વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘આના પર વાત થઈ હતી. તેણે કહ્યું હતું કે કોરોનામાં તો લગ્ન નહીં થઈ શકે. ત્યારબાદ તેની એક ફિલ્મ આવશે. ત્યારબાદ ફેબ્રુઆરી-માર્ચમાં જોઈશું, કરી લઈશું. તેની સાથે મારી આ છેલ્લી વાત થઈ હતી.’

પિતાએ સુશાંતને પોતાની પસંદની યુવતી સાથે લગ્ન કરવાની સલાહ આપી
વાતચીતમાં કે કે સિંહે સુશાંત કઈ યુવતી સાથે લગ્ન કરવાનો હતો તેનું નામ જાહેર કર્યું નહોતું. તેમણે કહ્યું હતું, ‘મેં તેને એમ કહ્યું હતું કે તેણે પોતાની પસંદની યુવતી સાથે લગ્ન કરવા જોઈએ, કારણ કે આખું જીવન તેણે તેની સાથે રહેવાનું છે.’

પિતાને માત્ર અંકિતા લોખંડે અંગે ખબર હતી
કે કે સિંહે આ દરમિયાન સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે અંગે વાત કરી હતી. તેમના મતે અંકિતા તેમને મળવા માત્ર મુંબઈ જ નહોતી આવી પરંતુ પટના પણ આવી હતી. તેમના મતે, સુશાંતના જીવનમાં અંકિતા જ એક માત્ર યુવતી હતી અને તેમને તેના વિશેની જ માહિતી હતી. રિયા ચક્રવર્તી અંગે કોઈ માહિતી નહોતી. વધુમાં કે કે સિંહે કહ્યું હતું કે સુશાંતના અંતિમ સંસ્કારમાં તેઓ ક્રિતિ સેનનને મળ્યાં હતાં અને તેણે દીકરાના બહુ જ વખાણ કર્યાં હતાં.

‘સુશાંતને ક્યારેય તેની વાત કરી નહોતી’
કે કે સિંહે આ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંત નાનપણથી ખુલ્લા મનથી પોતાની ભાવનાઓ વ્યક્ત કરતો હતો. જોકે, હાલના કેટલાંક વર્ષોમાં તે એકલો રહેતો હતો. તેમણે કહ્યું હતું, ‘પહેલાં તો બધું જ બોલતો હતો પરંતુ છેલ્લે શું થયું તેણે કહ્યું નહીં.’

ઉલ્લેખનીય છે કે સુશાંતે વર્ષ 2008માં નાદિરા બબ્બરના થિયેટર ગ્રૂપ ‘એકજૂટ’થી કરિયરની શરૂઆત કરી હતી. સુશાંતને ટીવી સિરિયલ ‘કિસ દેશ મેં હૈં મેરા દિલ’થી બ્રેક મળ્યો હતો. ત્યારબાદ ‘પવિત્રા રિશ્તા’માં માનવ દેશમુખનો રોલ ભજવ્યો હતો અને આ રોલથી તે ઘેર-ઘેર જાણીતો બન્યો હતો. આ રોલ માટે સુશાંતને બેસ્ટ ટીવી એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. સુશાંતે ‘કાઈ પો છે’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ હોટસ્ટાર પર 24 જુલાઈએ સ્ટ્રીમ થવાની છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
late Sushant Singh Rajput's Father KK Singh talked The Late Actor Wanted To Get Married In Feb-Mar 2021


from Divya Bhaskar https://ift.tt/3dxIpZV
https://ift.tt/31kjZ3Y

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...