Saturday, June 27, 2020

સુશાંતના પરિવારે જાહેરાત કરી, સુશાંત સિંહના નામ પર ફાઉન્ડેશન બનાવી યંગ ટેલેન્ટને મદદ કરશે

સુશાંત સિંહના મૃત્યુ બાદ તેના પરિવારે સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. આ સ્ટેટમેન્ટમાં તેમણે અમુક અગત્યની જાહેરાત પણ કરી છે. પરિવારે સુશાંતને તેમનો બગીચો ગણાવ્યો છે. સુશાંતના પરિવારમાં તેના પિતા અને ચાર બહેનો છે.

સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે, સુશાંત સિંહ અમારો બગીચો હતો. તે વાતોડિયો, અદભુત અને ખુશમિજાજી હતો. તે પરિવારનો ગર્વ અને પ્રેરણા હતો. તેનું ટેલિસ્કોપ તેનું સૌથી કિંમતી પઝેશન હતું જેનાથી તે તારાઓ જોતો હતો. અમે સ્વીકારી નથી શકતા કે અમે તેનું હાસ્ય ફરી નહીં સાંભળી શકીએ, તેની ચળકતી આંખો ફરી નહીં જોઈ શકીએ. વિજ્ઞાન વિશેની તેની એન્ડલેસ વાતો નહીં સાંભળી શકીએ. પરિવારને તેની ખોટ પડી છે જે ક્યારેય ભરાશે નહીં.

ફેન્સનો આભાર માનતા લખ્યું કે, તે તેના દરેક ફેનને પ્રેમ કરતો. અમારા બગીચા પર આટલો પ્રેમ વરસાવવા બદલ અમે દરેકનો આભાર માનીએ છીએ.

મહત્ત્વની જાહેરાત વિશે જણાવ્યું કે, તેની મેમરી અને લેગસીને સમ્માનિત કરવા પરિવારે સુશાંત સિંહ રાજપૂત ફાઉન્ડેશન બનાવવાનું નક્કી કર્યું છે જે સિનેમા, સાયન્સ અને સ્પોર્ટ્સના યંગ ટેલેન્ટ્સને સપોર્ટ કરશે.

પટનાના રાજીવ નગરના તેના બાળપણના ઘરને સ્મારકમાં ફેરવવામાં આવશે. તેના ફેન્સ અને પ્રસંશકો માટે અમે તેની બધી પર્સનલ વસ્તુઓ જેવી કે તેની હજારો બુક્સ, તેનું ટેલિસ્કોપ, ફ્લાઇટ સિમ્યુલેટર વગેરે ત્યાં રાખશું.

હવેથી તેના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ તેની યાદોની જીવતી રાખવા માટે લેગસી અકાઉન્ટ તરીકે મેન્ટેન કરવામાં આવશે. અમે ફરીવાર સૌનો પ્રાર્થના કરવા બદલ આભાર માનીએ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's family announced that they will help Young Talent by creating sushant singh rajput foundation


from Divya Bhaskar https://ift.tt/3ibf6QK
https://ift.tt/2BLgLLO

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...