Tuesday, June 30, 2020

ડિરેક્ટર અભિષેક કપૂર બાદ હવે ભૂમિ પેડનેકર સુશાંત સિંહની યાદમાં 550 ગરીબ પરિવારને જમાડશે

14 જૂને સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેની યાદમાં ડિરેક્ટર અભિષેક કપૂર બાદ હવે સોનચીડિયા ફિલ્મની કો-સ્ટાર ભૂમિ પેડનેકર 550 ગરીબ પરિવારને જમાડશે. અભિષેક કપૂર અને તેની પત્ની પ્રજ્ઞા કપૂરે જે NGO સાથે મળીને આ ઉમદા કાર્ય કરવાનું પ્રણ લીધું છે તે જ NGO એક સાથ: ધ અર્થ ફાઉન્ડેશન મારફતે ભૂમિ પણ આ મદદ કરશે.

મદદની પહેલ
ભૂમિએ સુશાંતના ફોટો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કે, મેં એક સાથ ફાઉન્ડેશન મારફતે મારા પ્રિય મિત્રની યાદમાં 550 પરિવારને ભોજન કરાવવાનો સંકલ્પ લીધો છે. આવો આપણે સાથે મળીને જરૂરિયાતમંદ લોકો પ્રતિ દયા અને પ્રેમ બતાવીએ, કારણકે હાલ તેમને આપણી સૌથી વધુ જરૂર છે.

ડેબ્યુ ડિરેક્ટર 3400 પરિવારને જમાડશે
સુશાંત સિંહ રાજપૂતની 2013માં આવેલ ડેબ્યુ ફિલ્મ કાઈ પો છેના ડિરેક્ટર અભિષેક કપૂર અને તેની પત્ની પ્રજ્ઞા કપૂર NGO એક સાથ: ધ અર્થ ફાઉન્ડેશન મારફતે 3,400 ગરીબ પરિવારને જમાડવાની વાત કરી હતી. તેમણે લખ્યું હતું, સુશાંતની યાદમાં એક સાથ ફાઉન્ડેશન 3400 ગરીબ પરિવારને જમાડવા માટે પ્રણ લે છે. લોકડાઉન ભલે પૂરું થઇ ગયું છે પણ નોકરીઓ જઈ રહી છે ને આવક બંધ થઇ ગઈ છે માટે અમારો પ્રયાસ આગળ પણ ચાલુ રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After director Abhishek Kapoor, Bhumi Pednekar will feed 550 poor families in memory of Sushant Singh


from Divya Bhaskar https://ift.tt/31wHUx8
https://ift.tt/2ZhogCs

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...