થોડા દિવસ પહેલાં બિહારના મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનનો એક હૃદયદ્રાવક વીડિયો વાઇરલ થયો હતો. તેમાં એક બાળક તેની મૃત માતાને જગાડવા માટે તેને ઓઢાડેલ ચાદર ખેંચી રહ્યો હતો. શાહરુખ ખાનનું મીર ફાઉન્ડેશન આ બાળકની આર્થિક સહાય કરવાનું છે.
#MeerFoundation is thankful to all who helped us reach this child, whose heart wrenching video of trying to wake his mother disturbed all. We are now supporting him and he is under his grandfather’s care. pic.twitter.com/NUQnXgAKGT
— Meer Foundation (@MeerFoundation) June 1, 2020
બાળક હવે દાદા સાથે રહેશે
મીર ફાઉન્ડેશનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર બાળકનો તેના દાદા-દાદી સાથેનો ફોટો શેર કરી લખ્યું હતું કે, મીર ફાઉન્ડેશન દરેકનો આભારી છે જેને આ બાળક સુધી પહોંચવામાં અમારી મદદ કરી જેના વાઇરલ વીડિયોએ દરેકને હેરાન કરી દીધા હતા. હવે અમે તેને સપોર્ટ કરી રહ્યા છીએ અને હાલ તે તેના દાદાની સંભાળ હેઠળ છે.
Thank you all for getting us in touch with the little one. We all pray he finds strength to deal with the most unfortunate loss of a parent. I know how it feels...Our love and support is with you baby. https://t.co/2Z8aHXzRjb
— Shah Rukh Khan (@iamsrk) June 1, 2020
મને પેરેન્ટ્સ ન હોવાના દુઃખનો અનુભવ છે: શાહરુખ
શાહરુખે મીર ફાઉન્ડેશનના ટ્વીટને રીટ્વીટ કરી લખ્યું કે, આ બાળક સુધી પહોંચાડવા બદલ સૌનો આભાર. આપણે પ્રાર્થના કરીએ કે પેરેન્ટ ખોઈ દેવાના આ દુઃખને સહન કરવા માટેની શક્તિ બાળકને મળે. મને ખબર છે કેવું ફીલ થાય છે. અમારો પ્રેમ અને સપોર્ટ તારી સાથે છે બાળક.
શાહરુખે પિતાને બાળપણમાં ગુમાવ્યા
શાહરુખના પિતા મીર તાજ મોહમ્મ્દ તે નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. તે જ્યારે 30 વર્ષનો હતો ત્યારે તેની માતા લતીફ ફાતિમા ખાન મૃત્યુ પામ્યા. ત્યારે શાહરુખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેને આ વાતનું દુઃખ હંમેશાં રહેશે કે તે તેના માતાપિતા સાથે વધુ સમય ન રહી શક્યો. એટલે તેણે નક્કી કર્યું કે તે લાંબા સમય સુધી જીવશે જેથી તેમના બાળકોને પેરેન્ટ્સની ગેરહાજરી ફીલ ન થાય.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36Twzrx
https://ift.tt/2zKS2XE
No comments:
Post a Comment
If you have any doubts please let me know!