Wednesday, June 10, 2020

પ્રિયંકા ચોપરાએ પિતા અશોક ચોપરાને પુણ્યતિથિ પર યાદ કર્યા, લખ્યું- આપણે દિલથી જોડાયેલા છીએ

આજે 10 જૂનના રોજ પ્રિયંકા ચોપરાના પિતા ડોક્ટર અશોક ચોપરાની પુણ્યતિથિ છે. અશોક ચોપરાનું મૃત્યુ 2013માં કેન્સરના કારણે થયું હતું. પિતાને પુણ્યતિથિ પર યાદ કરીને પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પિતાનો જૂનો ફોટો શેર કર્યોછે. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આપણે અનંતકાળ સુધી દિલથી જોડાયેલા છીએ. મિસ યુ ડેડ, દરરોજ.

2008માં પ્રિયંકાના પિતાને કેન્સર થયું હતું. 2013માં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તે સમયે પ્રિયંકા ચોપરા, તેની માતા મધુ ચોપરા અને તેનો નાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા અશોક ચોપરાની પાસે હાજર હતા. 1974માં તેઓ આર્મીમાં જોડાયા હતા અને 1997માં તેઓ રિટાયર થયા હતા.

પ્રિયંકા ચોપરાનાં લગ્ન 2018માં થયા હતા ને ત્યારે તેણે પિતાને ખૂબ યાદ કર્યા હતા. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મને લગ્ન સમયે ડેડની ખૂબ જ યાદ આવતી હતી. મારી મમ્મી બધું એકલી કરી લેશે તેની ખાતરી હતી, તેમ છતાં ડેડની હાજરીને ઘણી યાદ કરી, કારણકે તે આ બધું કરવાઇચ્છતા હતા અને કહેતા રહેતા હતા કે હું ક્યારે સૂટ સીવડાવું.’

પ્રિયંકા ચોપરા હાલ તો લોસ એન્જલસમાં પતિ નિક જોનસ સાથે સાસરે છે. કોરોના મહામારીમાં ઘર રહીને તે નિક પાસેથી પિઆનો વગાડતાં શીખી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Priyanka Chopra remembers father Ashok Chopra on death anniversaryi, says -We’re connected by heartstrings to infinity


from Divya Bhaskar https://ift.tt/3hdAYKu
https://ift.tt/2Uxm48p

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...