Sunday, June 14, 2020

લૉકડાઉનના 70 દિવસમાં ઘણાં સેલેબ્સે સુસાઈડ કર્યું, કોઈના સપના તૂટ્યાં તો કોઈએ આર્થિક તંગીને કારણે જીવન સામેનો જંગ હાર્યા

મહેન્દ્ર સિંહ ધોનીનો રોલ પ્લે કરનાર સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી હતી. થોડાં સમય પહેલાં જ તેની પૂર્વ મેનેજર દિશા સલિયને આત્મહત્યા કરી હતી. જોકે, બંનેના મોતનું સાચું કારણ હજી સુધી સામે આવ્યું નથી. જોકે, સુશાંત ડિપ્રેશન હતો. તેના ઘરેથી મળેલા મેડિકલ દસ્તાવેજોમાં આ વાત સામે આવી છે.

લૉકડાઉન દરમિયાન સુશાંતના આત્મહત્યાના ન્યૂઝે બોલિવૂડને આશ્ચર્યમાં મૂકી દીધું છે. લૉકડાઉનના 70 દિવસમાં સુશાંત જ નહીં ઘણાં સ્ટાર્સે આત્મહત્યા કરી હતી. મોટાભાગના સ્ટાર્સ કરિયર તથા જીવનને લઈ મુશ્કેલીમાં હતા. પડદાં પર દરેક મુશ્કેલી સામે ઝઝૂમતા તથા જીવન જીવવાની વાત કરતાં આ સ્ટાર્સ રિયલ લાઈફમાં મુશ્કેલી સામે ભાંગી પડે છે.

આત્મહત્યા કરનાર સેલેબ્સમાં બોલિવૂડ, ટીવી, તમિલ તથા કન્નડ ઈન્ડસ્ટ્રીના કલાકાર સામેલ છે.

આર્થિક તંગીએ મનમીત ગ્રેવાલનો જીવ લીધો
32 વર્ષીય મનમીત ગ્રેવાલે 15 મેના રોજ આત્મહત્યા કરી હતી. મનમીતે આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી હતી. મંજીત સિંહે એક વાતચીતમાં કહ્યું હતું કે કેટલાંક દિવસો પહેલાં જ મનમીતના એક ફ્રેન્ડે આર્થિક તંગીને કારણે સુસાઈડ કર્યું હતું. બંનેએ ફોરેન ટ્રીપ માટે લોન લીધી હતી અને તે ચૂકવી શક્યા નહોતાં.

પ્રેક્ષઆ મહેતાને સપના તૂટવાનું દુઃખ હતું
‘ક્રાઈમ પેટ્રોલ’, ‘લાલ ઈશ્ક’ તથા ‘મેરી દુર્ગા’ જેવા શોની એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ 25મેના રોજ ઈન્દોરમાં આત્મહત્યા કરી હતી. 25 વર્ષીય પ્રેક્ષાએ સુસાઈડ નોટમાં કહ્યું હતું કે તેના તૂટેલા સપનાઓએ તેના આત્મવિશ્વાસને ડગમગાવી દીધો હતો. તે તૂટેલા સપના સાથે જીવી શકે નહીં. તેણે એક વર્ષ ઘણો જ પ્રયાસ કર્યો પરંતુ હવે તે થાકી ગઈ છે.

બોયફ્રેન્ડને કારણે ચાંદનાએ જીવ આપ્યો
જાહેરાતોમાં જોવા મળતી કન્નડ એક્ટ્રેસ તથા ટીવી એન્કર ચાંદનાએ 28 મેના રોજ આત્મહત્યા કરી હતી. ચાંદનાને બોયફ્રેન્ડ દિનેશ ગોવડા સાથે લગ્ન કરવા હતાં પરંતુ બોયફ્રેન્ડે લગ્નની ના પાડતા તેણે ઝેર પીને આત્મહત્યા કરી હતી. મરતા પહેલાં ચાંદનાએ એક વીડિયો બનાવ્યો હતો અને તેમાં તેણે કહ્યું હતું, ‘તે કહ્યું હતું કે હું મરી જાઉં તે તારા માટે સારું છે. હું મારું જીવન પૂરું કરી રહી છું અને તેનું કારણ તું છે દિનેશ.’

એક્ટર ભાઈ-બહેનની લાશ સડી ગઈ હતી
ચેન્નઈમાં તમિળ એક્ટર શ્રીધર તથા તેની બહેન જયા કલ્યાણીએ આત્મહત્યા કરી હતી. બંનેએ પૈસાની તંગીને કારણે આ પગલું ભર્યું હતું. જ્યારે ઘરમાંથી વાસ આવવા લાગી ત્યારે આસપાસના લોકોને આ વાતની જાણ થઈ હતી. છ જૂનના રોજ આ ઘટના સામે આવી અને પોલીસે આ અંગે તપાસ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Many celebs commit suicide in 70 days of lockdown


from Divya Bhaskar https://ift.tt/3e39Xrf
https://ift.tt/2MVlIUN

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...