Sunday, June 7, 2020

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ મોહેનાએ કહ્યું, ‘તમને ખબર હોય કે વાઈરસ તમારી અંદર છે તો તમને સારું લાગતું નથી’

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ ટીવી એક્ટ્રેસ મોહેના કુમારી હાલમાં ઋષિકેશમાં કોરોનાની સારવાર લઈ રહી છે. થોડાં સમય પહેલાં જ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં જ મોહેનાએ પોતાની બીમારીને લઈને વાત કરી હતી. મોહેના વાત કરતાં કરતાં એક સમયે એકદમ ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખમાંથી આંસુ આવવા લાગ્યા હતાં.

ઈન્સ્ટાગ્રામમાં વીડિયો શૅર કર્યો
મોહેનાએ ઈન્સ્ટાગ્રામમાં 30 મિનિટનો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં મોહેનાએ પોતાની તબિયત તથા પરિવારે કેવી રીતે આ બીમારીનો સામનો કર્યો તથા કેવી રીતે આઈસોલેશનમાં રહ્યાં તે બધી વાત કરી છે. મોહેનાએ કહ્યું હતું કે તેઓ વાઈરસનો વધતો વ્યાપ અટકાવવા માટે યોગ્ય સમયે આઈસોલેશનમાં જતા રહ્યાં હતાં.

માનસિક અસર વધુ
મોહેનાએ કહ્યું હતું કે તેના શરીરમાં એવો કોઈ વાંધો નથી પરંતુ આ બીમારી માનસિક રીતે એક પડકારજનક છે. આજે તેનો હોસ્પિટલમાં છઠ્ઠો દિવસ છે. ફિઝિકલી તેને કોઈ તકલીફ નથી પરંતુ માનસિક રીતે આ બીમારીએ ઘણી જ અસર કરી છે. જ્યારે તમને ખબર હોય કે વાઈરસ તમારાશરીરની અંદર છે તો તમને સારું લાગતું નથી. તમને સતત ખરાબ લાગણી ફીલ થતી હોય છે. મોહેનાએ પોતાના મિત્ર ગૌરવ વાધવા સાથે પોતાની બીમારીને લઈ વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે મોહેનાના સસરા સતપાલ મહારાજ (ઉત્તરાખંડમાં ટૂરિઝમ મિનિસ્ટર છે)ને પણ કોવિડ 19નો ચેપ લાગ્યો છે. તેના પતિ સૂયશ રાવત તથા સાસુ અમૃતા રાવતનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. આ બધા જ ઋષિકેશની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.

રિપોર્ટ નેગેટિવ આવે તેવી આશા
મોહેનાએ કહ્યું હતું કે જ્યારે તેની સાસુમાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારબાદ પરિવાર આઈસોલેશનમાં જતો રહ્યો હતો. બાકીના પરિવારનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.હાલમાં તેના પરિવારના સભ્યોની તબિયત સારી છે. તેઓ આ વાઈરસનો મક્કમતાથી સામનો કરી રહ્યાં છે. તેને આશા છે કે તેઓ જલ્દીથી આમાંથી બહાર આવશે અને રિપોર્ટ નેગેટિવ આવશે.

સૌ પહેલાં સાસુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મોહેનાએ કહ્યું હતું કે ઘરમાં સૌ પહેલાં સાસુની તબિયત ખરાબ થઈ હતી. ત્યારે ઘરમાં બધાને એમ જ હતું કે આ નોર્મલ ફ્લૂ હશે. તેમનો ટેસ્ટ કરાવવામાં આવ્યો અને તે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ઘરના તમામ સભ્યોનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. તેમણે ઘરની બહાર વાઈરસનો ચેપ પ્રસરવા દીધો નથી.

મોહેનાએ બીમાર થવા પર જલ્દીથી ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે જો તમને તાવ આવે અથવા તો તમને બીમાર હોવાનું લાગે તો ઘરે બેસીને ચિંતા કર્યાં વગર તરત જ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

2012માં ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું
મોહેનાએ વર્ષ 2012મા ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં ભાગ લીધો હતો. મોહિના ટ્રેઈન્ડ ડાન્સર છે અને તે કોરિયોગ્રાફર પણ છે. રિયાલિટી શોમાં કામ કર્યાં બાદ મોહેનાએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ સિરિયલમાં કીર્તિની ભૂમિકા ભજવી હતી. લગ્ન પછી મોહેનાએ એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહી દીધું હતું. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી મોહેના કુમારી સિંહના લગ્ન ગયા વર્ષે 14 ઓક્ટોબરે હરિદ્વારમાં યોજાયા હતાં. મોહેનાએ ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સૂયશ રાવત સાથે લગ્ન કર્યા છે. મોહેના રેવાના મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
tv actress Mohena Kumari Singh brings Covid-19 update from hospital


from Divya Bhaskar https://ift.tt/30dyzJX
https://ift.tt/2BEg86N

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...