બોલિવૂડ એક્ટરના અંતિમ સંસ્કાર આજે (15 જૂન)ના રોજ મુંબઈમાં કરવામાં આવશે. પિતા કેકે સિંહ તથા અન્ય સંબંધીઓ પટનાથી મુંબઈ આવવા રવાના થઈ ગયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ફાંસી લગાવી હોવાની વાત સામે આવી છે. વિસેરા તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આનાથી શરીરમાં ઝેર છે કે નહીં તેનો ખ્યાલ આવશે. 34 વર્ષીય સુશાંતે રવિવારે સવારે બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સુસાઈડ નોટ મળી આવી નથી.
પોલીસને સુશાંતના રૂમમાંથી એક ફાઈલ મળી આવી છે, જેના પરથી ખ્યાલ આવે છે કે તે છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને સારવાર કરાવતો હતો. લૉકડાઉનને કારણે તે ડોક્ટર પાસે જઈ શક્યો નહીં. સુશાંતના મામાએ આ અંગે ન્યાયિક તપાસની માગણી કરી છે. જનઅધિકારી પાર્ટીના નેતા તથા પૂર્વ સાંસદ પપ્પુ યાદવે CBI તપાસની માગણી કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zwvCJm
https://ift.tt/30FreD6
No comments:
Post a Comment
If you have any doubts please let me know!