Monday, June 15, 2020

સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો, ફાંસીને કારણે શ્વાસ રૂંધાવાને કારણે નિધન

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ડેડબૉડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. રવિવાર (14 જૂન)ના રોજ સુશાંત પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ સુશાંતના શબને મુંબઈની કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. અહીંયા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સુશાંતનું નિધન ફાંસીને કારણે શ્વાસ રૂંધાવાને કારણે થયું છે.

રિપોર્ટમાં કોઈ પણ પ્રકારના ઝેર કે અન્ય કારણે મોત થયું હોય તે વાત કહેવામાં આવી નથી. જોકે, સુશાંતના શબમાંથી વિસરા સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને તેને ફોરેન્સિક તપાસ કરવામાં આવશે.

રવિવારે જ સુશાંતના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું
સૂત્રોના મતે, શરૂઆતમાં જ આ સુસાઈડનો કેસ લાગતો હતો. જોકે, સુશાંતના વિસરા સહિત શરીરના અન્ય ઓર્ગન સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે અને તેને ફોરેન્સિક તપાસ માટે જેજે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસ સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી તેને લઈ તપાસ કરી રહી છે.

બોલિવૂડ ઘેરા શોકમાં
સુશાંતના નિધનને કારણે બોલિવૂડ ઘેરા શોકમાં છે. સુશાંતના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બોલિવૂડના અનેક સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે. માનવામાં આવે છે કે સુશાંતે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput's postmortem report reveals death by suffocation due to hanging


from Divya Bhaskar https://ift.tt/30GuGx9
https://ift.tt/37CD0zG

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...