સુશાંત સિંહ રાજપૂતના નિધન પર તેના ઓનસ્ક્રીન દીકરા મોહમ્મદ સમદે ઈમોશનલ પોસ્ટ શૅર કરી છે. સમદે ગયા વર્ષે રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘છિછોરે’માં સુશાંતના દીકરા રાઘવનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં રાઘવનું સિલેક્શન એન્જિનિયરિંગમાં ના થતાં તે આત્મહત્યાનો પ્રયાસ કરે છે.
ભણેલો-ગણેલો વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે?
સમદે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘કેવી રીતે એક ભણેલો ગણેલો વ્યક્તિ આમ કરી શકે. વિશ્વાસ કરવો મુશ્કેલ છે. હું તમારામાંથી ઘણો જ શીખ્યો છું અને અત્યારે પણ ઘણું બધું શીખવાનું બાકી હતી. મને હજી પણ વિશ્વાસ નથી થતો. ભગવાન તમને સ્વર્ગમાં સૌથી ઊંચું સ્થાન આપે. તમારી આત્માને શાંતિ મળે સર...’
View this post on InstagramA post shared by MOHAMMAD SAMAD (@mohammadsamadofficial) on Jun 14, 2020 at 3:28am PDT
મિત્ર વરુણ શર્મા નિઃશબ્દ
‘છિછોરે’માં સુશાંતના મિત્ર સેક્સાનો રોલ પ્લે કરનાર વરુણ શર્મા એક્ટર સુશાંતના નિધન પર નિઃશબ્દ છે. તેણે ફિલ્મનો એક સીન શૅર કરીને કહ્યું હતું, ‘સ્પીચલેસ.’
View this post on InstagramA post shared by Varun Sharma (@fukravarun) on Jun 14, 2020 at 5:02am PDT
ફિલ્મની વાર્તા આવી હતી
નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી ‘છિછોરે’માં સુશાંતે અનિરુદ્ધ પાઠકનો રોલ તથા શ્રદ્ધા કપૂરે તેની પત્ની માયા પાઠકનો રોલ પ્લે કર્યો હતો. અનિરૂદ્ધ તથા માયાનો દીકરો રાઘવ અભ્યાસને કારણે તણાવમાં રહે છે અને નિષ્ફળ જતાં ઘરની ગેલેરીમાંથી છલાંગ લગાવે છે. રાઘવ ICUમાં હોય છે ત્યારે તે પોતાના કોલેજ ફ્રેન્ડ્સને બોલાવીને પોતાની વાત કહે છે અને અભ્યાસમાં ટોપર હોવા છતાં કોલેજમાં તેની પર લૂઝરનું ટેગ લાગ્યું હતું. જોકે, તેણે ક્યારેય હિંમત હારી નહોતી.
મિત્રોની ભૂમિકામાં આ સ્ટાર્સ જોવા મળ્યાં હતાં
સુશાંત સિંહ રાજપૂતના મિત્રોની ભૂમિકામાં વરુણ શર્મા ઉપરાંત તુષાર પાંડે, તાહિર રાજ ભસીન, સહર્ષ કુમાર તથા નવીન પૉલિશેટ્ટી હતા. ફિલ્મમાં પ્રતિક બબ્બરની પણ મહત્ત્વની ભૂમિકા હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37sbQeK
https://ift.tt/2MVD3wQ
No comments:
Post a Comment
If you have any doubts please let me know!