મહામારી કોરોનાના સંકટ વચ્ચે અમિતાભ બચ્ચન લોકોને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રેરણા આપતા રહે છે. લોકોને ઘરે જ સુરક્ષિત રહેવા માટેના આગ્રહથી લઈને લોકોને જાગૃત કરવા સુધીનું કામ બિગ બી તેમની સોશિયલ મીડિયા પરની પોસ્ટ દ્વારા કરતા રહે છે. હવે તેમણે એક વીડિયો કલીપ શેર કરીને લોકોને સંબંધ સુધારવા માટે સલાહ આપી છે.
View this post on InstagramA post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 19, 2020 at 11:28pm PDT
તેમણે પોસ્ટ નીચે કેપ્શનમાં લખ્યું કે, આવો મનના કોઈ ખૂણામાં કોઈ વિશે રહેલી કડવાશને ક્વોરન્ટીન કરીએ, શું ખબર કોઈ સંબંધ વેન્ટિલેટર પર જતા અટકી જાય. હાલની કોરોનાની સ્થિતિ મુજબ તેમણે વેન્ટિલેટર અને ક્વોરન્ટીન શબ્દો યુઝ કર્યા છે.
અમિતાભ બચ્ચન મુંબઈના તેમના ઘર જલસામાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેઓ ફન પોસ્ટ પણ શેર કરતા રહે છે. તેઓ તેમની ફિલ્મ્સના થ્રોબેક ફોટોઝ સાથેની તેની સ્ટોરી પણ શેર કરતા રહે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3g6G5Mg
https://ift.tt/2z5pgAI
No comments:
Post a Comment
If you have any doubts please let me know!