Wednesday, May 20, 2020

અમિતાભ બચ્ચને લોકોને કહ્યું, કડવાશ ભૂલી કોઈ સંબંધને વેન્ટિલેટર પર જતા અટકાવી દો

મહામારી કોરોનાના સંકટ વચ્ચે અમિતાભ બચ્ચન લોકોને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રેરણા આપતા રહે છે. લોકોને ઘરે જ સુરક્ષિત રહેવા માટેના આગ્રહથી લઈને લોકોને જાગૃત કરવા સુધીનું કામ બિગ બી તેમની સોશિયલ મીડિયા પરની પોસ્ટ દ્વારા કરતા રહે છે. હવે તેમણે એક વીડિયો કલીપ શેર કરીને લોકોને સંબંધ સુધારવા માટે સલાહ આપી છે.

તેમણે પોસ્ટ નીચે કેપ્શનમાં લખ્યું કે, આવો મનના કોઈ ખૂણામાં કોઈ વિશે રહેલી કડવાશને ક્વોરન્ટીન કરીએ, શું ખબર કોઈ સંબંધ વેન્ટિલેટર પર જતા અટકી જાય. હાલની કોરોનાની સ્થિતિ મુજબ તેમણે વેન્ટિલેટર અને ક્વોરન્ટીન શબ્દો યુઝ કર્યા છે.

અમિતાભ બચ્ચન મુંબઈના તેમના ઘર જલસામાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેઓ ફન પોસ્ટ પણ શેર કરતા રહે છે. તેઓ તેમની ફિલ્મ્સના થ્રોબેક ફોટોઝ સાથેની તેની સ્ટોરી પણ શેર કરતા રહે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Let's put bitterness in quarantine, says Amitabh Bachchan


from Divya Bhaskar https://ift.tt/3g6G5Mg
https://ift.tt/2z5pgAI

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...