રિશી કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સાહની શનિવાર રાત્રે (2 મે) મુંબઈ આવી હતી. પિતાના નિધનના બે દિવસ બાદ રિદ્ધિમા મુંબઈ આવી હતી. 30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું અને તે જ દિવસે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. લૉકડાઉન હોવાને કારણે રિદ્ધિમા તાત્કાલિક મુંબઈ આવી શકી નહોતી. તેને સડક માર્ગે આવવાની પરવાનગી આપવામાં આવી હતી. રિદ્ધિમા દીકરી સમારા સાથે દિલ્હીથી મુંબઈ કારમાં આવી હતી.
પિતાના નિધન બાદ સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ શૅર કરી હતી
પિતાના નિધનના સમાચાર મળ્યા બાદ રિદ્ધિમાએ ઈન્સ્ટા સ્ટોરીમાં પિતાની તસવીરો શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં તેણે કહ્યું હતું, પાપાબહુ બધો પ્રેમ, તમારી આત્માને શાંતિ મળે. અન્ય એક તસવીરમાં કહ્યું હતું, હું તો તમને અત્યારથી જ મિસ કરું છું, પાછા આવી જાઓ પાપા. જ્યારે એક તસવીરમાં રિદ્ધિમાએ કહ્યું હતું, કાશ, હું તમને અંતિમવાર ગુડબાય કહેવા માટે ત્યાં હાજર રહી શકી હોત.
ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પિતાને મજબૂત યૌદ્ધા ગણાવ્યા
રિદ્ધિમાએ ઈન્સ્ટાગ્રામમાં પિતા સાથેની તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું હતું, પાપા, હું તમને ઘણો જ પ્રેમ કરું છું અને હંમેશાં કરતી રહીશ. તમારી આત્માને શાંતિ મળે. મારા મજબૂત યૌદ્ધા, હું તમને રોજ યાદ કરીશ, રોજ ફેસટાઈમ કોલની યાદ આવશે. કાશ, હું તમને ગુડબાય કહેવા માટે ત્યાં હાજર હોત. આપણે બીજીવાર ના મળીએ ત્યાં સુધી પાપા આઈ લવ યુ.
View this post on InstagramA post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on Apr 30, 2020 at 1:13am PDT
રિદ્ધિમાએ વીડિયો કોલથી પિતાના અંતિમ દર્શન કર્યાં
રિદ્ધિમા મુંબઈ આવી શકી નહોતી પરંતું તેણે વીડિયો કોલની મદદથી પિતાના અંતિમ દર્શન કર્યાં હતાં અને અંતિમ યાત્રા જોઈ હતી. આલિયા ભટ્ટે સતત વીડિયો કોલથી રિદ્ધિમાને પિતાની અંતિમ યાત્રા બતાવી હતી.
રિશીનું 30 એપ્રિલે સવારે 8.45 વાગે નિધન
67 વર્ષીય રિશી કપૂરને છેલ્લાં બે વર્ષથી લ્યૂકેમિયાનુંકેન્સર હતું. તેમણે ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર કરાવી હતી અને તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સારવાર કરાવીને ભારત પરત ફર્યાં હતાં. જોકે, હાલમાં જ તેમની તબિયત ખરાબ થતાં તેમને મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. અહીંયા 30 એપ્રિલે સવારે 8.45 વાગે તેમણેઅંતિમ શ્વાસ લીધા હતાં. તે જ દિવસે સાંજે ચાર વાગે ચંદનવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. લૉકડાઉન હોવાને કારણે તેમના અંતિમ સંસ્કારમાં 20 લોકો જ હાજર રહ્યાં હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bWGnTq
https://ift.tt/2KQtCh8
No comments:
Post a Comment
If you have any doubts please let me know!