એ આર રહેમાન તથા પ્રસૂન જોષીએ ‘હમ હાર નહીં માનેંગે’ ગીત કોરોનાવાઈરસ સામે લડત આપી રહેલા ભારત તથા ભારતીયોને ટ્રીબ્યૂટ તરીકે રિલીઝ કર્યું હતું. આ ગીતને પ્રસૂન જોષીએ લખ્યું છે અને સંગીત એ આર રહેમાને આપ્યું છે. આ ઈમોશનલ ગીતમાં કોરોનવાઈરસની લડાઈ દરેક ભારતીય સાથે ઊભા રહીને લડી રહ્યો છે, તે બતાવવામાં આવ્યું છે.
આ ગાયકોએ સાથે મળીને ગાયું છે ગીત
આ ગીતને મોહિત ચૌહાણ, હર્ષદિપ કૌર, મિકા સિંહ, શાસા તિરુપતિ, ખાતિજા રહેમાન તથા મોહિની ડે છે. આ ગીતને એચડીએફસી બેંકે રિલીઝ કર્યું છે. આ ગીત જેટલી વાર શૅર કરશે તેટલીવાર બેંક 500 રૂપિયા પીએમ કૅર ફંડમાં આપશે.
એ આર રહેમાને શું કહ્યું?
એ આર રહેમાને કહ્યું હતું, આ ગીતે આપણને એક ઉમદા કામ માટે ભેગા કર્યાં છે. આશા છે કે આ ગીત સમ્રગ રાષ્ટ્રને એક થવાની પ્રેરણા આપશે.
પ્રસૂન જોશીએ કહ્યું હતું કે એ આર રહેમાન સાથે કામ કરવાનો અનુભવ ઘણો જ સારો રહ્યો હતો. તેમની સાથે ઘણાં યાદગારો ગીતોની રચના કરી છે. આ ગીતમાં મનુષ્યો ક્યારેય હાર નહીં માને તે વાત કેન્દ્ર સ્થાને છે.
બેંકના ચીફ માર્કેટિંગ ઓફિસર રવિ સંથાનામે જણાવ્યું હતું કે કોર્પોરેટ નાગરિક હોવાને કારણે દેશને શક્ય તેટલી મદદ કરવી જોઈએ. સંગીત સંવેદનાઓને જાગૃત કરે છે. આ ગીત દ્વારા તેઓ ભારતના દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શ કરવા ઈચ્છે છે. તેઓ કહેવા માગે છે કે આ જંગમાં તેઓ એકલા નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YtNBdu
https://ift.tt/2z0B0nw
No comments:
Post a Comment
If you have any doubts please let me know!