Wednesday, May 6, 2020

અમિતાભ બચ્ચને હંદવાડા આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું, તેમના પર ગર્વ છે

આયુષ્માન ખુરાના બાદ અમિતાભ બચ્ચને હંદવાડા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક ટ્વીટ કરી હતી.

શું ટ્વીટ કરી હતી?
અમિતાભ બચ્ચને ટ્વીટમાં શહીદોની વીરતાને યાદ કરી હતી. બિગ બીએ ટ્વીટ કરી હતી, શહીદોની હૃદયને દુઃખ આપતી તસવીરો.. હાલના હુમલાની...પરિવાર, સાથી અધિકારીઓ, તમામને સહન કરવાની શક્તિ આપે. બસ તેમના પર ગર્વ છે.. તેમનું બલિદાન તમામ ઈચ્છાઓથી ઉપર છે. જય હિંદ, સલામ..

ઉલ્લેખનીય છે કે હાલમાં જ કાશ્મીરમાં હંદવાડામાં થયેલા આતંકી હુમલામાં કર્નલ, મેજર, પોલીસ અધિકારી સહિત પાંચ જવાન શહીદ થયા હતાં. માત્ર અમિતાભ બચ્ચને જ નહીં પણ પીએમ મોદીએ પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’માં વ્યસ્ત
અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની બારમી સિઝનમાં વ્યસ્ત છે. આ સિઝનની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 9 મેથી શરૂ થઈ રહી હતી, જે 22 મે સુધી ચાલશે. અમિતાભે આ શોના પ્રોમોનો વીડિયો ઘરે જ બનાવ્યો હતો. હાલમાં તેઓ ઘરે રહીને જ આ શો પર કામ કરી રહ્યાં છે. આટલું જ નહીં તેઓ કોરોનાવાઈરસને લઈ સતત ચાહકોને જાગૃત કરવા માટે વિવિધ વીડિયો પણ બનાવી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan pays tributes to martyrs of handwara terror attack, says he is proud of them


from Divya Bhaskar https://ift.tt/2L7eGvj
https://ift.tt/2L4rPVN

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...