આયુષ્માન ખુરાના બાદ અમિતાભ બચ્ચને હંદવાડા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક ટ્વીટ કરી હતી.
શું ટ્વીટ કરી હતી?
અમિતાભ બચ્ચને ટ્વીટમાં શહીદોની વીરતાને યાદ કરી હતી. બિગ બીએ ટ્વીટ કરી હતી, શહીદોની હૃદયને દુઃખ આપતી તસવીરો.. હાલના હુમલાની...પરિવાર, સાથી અધિકારીઓ, તમામને સહન કરવાની શક્તિ આપે. બસ તેમના પર ગર્વ છે.. તેમનું બલિદાન તમામ ઈચ્છાઓથી ઉપર છે. જય હિંદ, સલામ..
T 3522 - The heart - wrenching pictures of the 'shahid' departed .. at the recent attack .. the family the fellow officers .. all to much to digest and refer to .. just , that our pride for them that sacrifice is beyond any other desire ..
— Amitabh Bachchan (@SrBachchan) May 5, 2020
Jai Hind ! and salutations ..🇮🇳
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કાશ્મીરમાં હંદવાડામાં થયેલા આતંકી હુમલામાં કર્નલ, મેજર, પોલીસ અધિકારી સહિત પાંચ જવાન શહીદ થયા હતાં. માત્ર અમિતાભ બચ્ચને જ નહીં પણ પીએમ મોદીએ પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’માં વ્યસ્ત
અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની બારમી સિઝનમાં વ્યસ્ત છે. આ સિઝનની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 9 મેથી શરૂ થઈ રહી હતી, જે 22 મે સુધી ચાલશે. અમિતાભે આ શોના પ્રોમોનો વીડિયો ઘરે જ બનાવ્યો હતો. હાલમાં તેઓ ઘરે રહીને જ આ શો પર કામ કરી રહ્યાં છે. આટલું જ નહીં તેઓ કોરોનાવાઈરસને લઈ સતત ચાહકોને જાગૃત કરવા માટે વિવિધ વીડિયો પણ બનાવી રહ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2L7eGvj
https://ift.tt/2L4rPVN
No comments:
Post a Comment
If you have any doubts please let me know!