સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે. સિંહ મુજબ તેમને દીકરાના ડિપ્રેશનની જાણ ન હતી. તેમણે આ વાત મંગળવારે મુંબઈ પોલીસને આપેલ સ્ટેટમેન્ટમાં કહી હતી. સાથે એવું પણ જણાવ્યું કે તે મોટેભાગે મુરઝાયેલો રહેતો હતો.
રવિવારે 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં તેના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સોમવારે વિલે પાર્લે સ્થિત પવન હંસ સ્મશાન ઘાટ પર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોલીસે આત્મહત્યાનું કારણ શોધવા માટે તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં મંગળવારે તેના પિતાનું સ્ટેટમેન્ટ રજિસ્ટર કરવામાં આવ્યું.
પિતાને કોઈ પર શંકા નથી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કે.કે. સિંહે કહ્યું હતું કે તેમને નથી ખબર કે દીકરો ડિપ્રેશનમાં કેમ હતો. તેમણે કોઈ પર શંકા હોવાનું પણ જણાવ્યું નથી. શરૂઆતની તપાસમાં આ વાત સામે આવી છે કે સુશાંત ડિપ્રેશનમાં હતો. તેના ઘરેથી ડોક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન અને દવાઓ મળી છે.
ક્રિએટિવ મેનેજર સાથે 8 કલાક પૂછપરછ
પોલીસ સુશાંતના ફાઇનાન્સ, બિઝનેસ અને બોલિવૂડમાં તેમની પ્રોફાઈલને લઈને તેના ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ પિઠાણી સાથે પૂછપરછ કરી રહી છે. પોલીસે તેની 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. સિદ્ધાર્થે તેના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ઓક્ટોબર 2019થી જાન્યુઆરી 2020 સુધી તેઓ સાથે ન હતા.
સોમવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે તેના ટ્વીટમાં સ્પષ્ટ કર્યું કે, સુશાંતના મૃત્યુની તપાસ પ્રોફેશનલ રાઈવલરીના એન્ગલને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવશે.
While the post mortem report says actor @itsSSR committed suicide by hanging himself, there are media reports that he allegedly suffered from clinical depression because of professional rivalry. @MumbaiPolice will probe this angle too.
— ANIL DESHMUKH (@AnilDeshmukhNCP) June 15, 2020
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30RylZ2
https://ift.tt/30SxJCO
No comments:
Post a Comment
If you have any doubts please let me know!