34 વર્ષીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના મુંબઈના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના આવા પગલાં બાદ ઘણી વસ્તુઓ સામે આવી છે જેમાં એક એવી વાત બહાર આવી છે કે તે છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. ઇન્ડસ્ટ્રીમાં ચાલતા સગાવાદ અને કેમ્પિંગનો તે શિકાર બની ગયો હતો. કરણ જોહર, સલમાન ખાન સહિતના અમુક સેલેબ્સ પર સુશાંતને આવું પગલાં ભરવા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે. આ બધાની વચ્ચે સલમાન ખાને તેના ફેન્સને એક અરજી કરી છે.
સલમાન ખાને ટ્વીટ કર્યું કે, મારા તમામ ફેન્સને વિનંતી કરું છું કે સુશાંતના ફેન્સની સાથે રહો અને કોઈપણ પ્રકારના અપશબ્દો કે બદદુઆને ધ્યાનમાં ન લઈને તેની પાછળના દર્દને અનુભવો. પ્લીઝ તેના ફેન્સ અને પરિવારની સાથે રહી તેને સપોર્ટ કરો કારણકે ગમતા વ્યક્તિને ખોઈ બેસવાનું દુઃખ ઘણું પેઈનફુલ હોય છે.
A request to all my fans to stand with sushant's fans n not to go by the language n the curses used but to go with the emotion behind it. Pls support n stand by his family n fans as the loss of a loved one is extremely painful.
— Salman Khan (@BeingSalmanKhan) June 20, 2020
બિહારના મુઝફ્ફરપુરમાં સલમાન ખાન સહિત 8 વ્યક્તિ પર સુશાંતની આત્મહત્યાને લઈને કેસ કરવામાં આવ્યો છે. આરોપ છે કે ઇન્ડસ્ટ્રી દ્વારા સુશાંતને બોયકોટ કરવામાં આવી રહ્યો હતો, તેના હાથમાંથી ફિલ્મ્સ છીનવી લેવામાં આવી રહી હતી. સલમાને સુશાંતના મૃત્યુ બાદ તેને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
U will be missed ... #RIPSushant
— Salman Khan (@BeingSalmanKhan) June 14, 2020
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ejE5yI
https://ift.tt/37RsLaD
No comments:
Post a Comment
If you have any doubts please let me know!