ટીવી એક્ટ્રેસ મોહેના કુમારી સિંહે કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે તેને ઊંઘ આવતી નથી અને શરૂઆતના દિવસો પૂરા પરિવાર માટે ઘણાં જ મુશ્કેલભર્યાં રહ્યાં હતાં.
ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરી
મોહેનાએ સવારે 3.45 વાગે એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં મોહેનાએ આશા વ્યક્ત કરી હતી કે તેઓ જલ્દીથી ઠીક થઈ જશે. તેણે કહ્યું હતું, ‘ઊંઘ આવતી નથી...શરૂઆતના આ દિવસો મુશ્કેલભર્યા છે. ખાસ કરીને ઘરના સૌથી નાના અને સૌથી મોટા લોકો છે તેમના માટે. હું પ્રાર્થના કરી રહી છું કે બધા જલ્દીથી ઠીક થઈ જાય. અમને અત્યારે ફરિયાદ કરવાનો કોઈ હક નથી. કારણ કે બહાર અનેક લોકો અમારાથી વધુ મુશ્કેલીઓ સહન કરી રહ્યાં છે. જોકે, હું તમામનો આભાર માનું છું. તમે સતત અમારી કાળજી લીધી. આ વાત હિંમત આપે છે. તમારા તમામનો દિલથી આભાર. તમામનો આભાર.’
View this post on InstagramA post shared by Mohena Kumari Singh (@mohenakumari) on Jun 1, 2020 at 3:16pm PDT
ચાહકોએ કમેન્ટ્સ કરી
મોહેનાની આ પોસ્ટ પર ચાહકો તથાટીવી એક્ટ્રેસ નિધી ઉત્તમે કમેન્ટ્સ કરી હતી. નિધીએ કહ્યું હતું, ‘અમારી પ્રાર્થના તથા પ્રેમ મોહેના તારી તથા તારા પૂરા પરિવાર સાથે છે. મને ખ્યાલ છે કે તું ઘણી જ સ્ટ્રોંગ વ્યક્તિ છે અને તું લડીશ અને જલ્દીથી ઠીક થઈ જઈશ.’
ઉલ્લેખનીય છે કે મોહેના સહિત પરિવારના છ સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ છે, જેમાં તેનો પતિ, સાસુ-સસરા, જેઠાણી તથા તેમનો પાંચ વર્ષીય દીકરો સામેલ છે. મોહેના કુમારીના સસરા તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજ ઉત્તરાખંડમાં કેબિનેટ મંત્રી છે. તેમણે હાલમાં જ ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે મુલાકાત કરી હતી. સતપાલ મહારાજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે જેટલાં લોકો સાથે મુલાકાત કરી હતી, તે તમામનો રિપોર્ટ કરાવવામાં આવશે. સૌ પહેલાં મોહેનાના સાસુ અમૃતા રાવનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. તેમના ઘરમાં સતપાલ મહારાજની સંસ્થાના સભ્યો પણ રહે છે, આમાંથી 17 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
31 વર્ષીય મોહેનાએ હાલમાં એન્ટરટેઈનમેન્ટ પોર્ટલ સ્પોટબોય સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘આ વાત સાચી છે કે હું અને મારો પરિવાર કોરોના પોઝિટિવ છે. અમારા પરિવારના સાત લોકો કોરોનાનો ભોગ બન્યા છે અને બાકી સંસ્થાના સભ્યો છે. તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અલબત્ત, મારા જેઠનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. જોકે, ગભરાવવા જેવી વાત નથી. કોઈને પણ કોરોનાના લક્ષણો નહોતા અને આથી જ તે વધુ ફેલાઈ ગયો. અમારામાંથી કોઈને ખ્યાલ નહોતો કે આ બધું ક્યારે થઈ ગયું. ઘરની અંદર જ આ ફેલાઈ ગયો. હાલમાં અમારી સારવાર ચાલી રહી છે.’ નોંધનીય છે કે તમામને ઋષિકેશની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
2012મા ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું
મોહેનાએ વર્ષ 2012મા ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં ભાગ લીધો હતો. મોહિના ટ્રેઈન્ડ ડાન્સર છે અને તે કોરિયોગ્રાફર પણ છે. રિયાલિટી શોમાં કામ કર્યાં બાદ મોહેનાએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ સિરિયલમાં કીર્તિની ભૂમિકા ભજવી હતી. લગ્ન પછી મોહેનાએ એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહી દીધું હતું. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી મોહેના કુમારી સિંહના લગ્ન ગયા વર્ષે 14 ઓક્ટોબરે હરિદ્વારમાં યોજાયા હતાં. મોહેનાએ ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સૂયશ રાવત સાથે લગ્ન કર્યા છે. મોહેના રેવાના મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cq7bLh
https://ift.tt/3cpo48D
No comments:
Post a Comment
If you have any doubts please let me know!