સુશાંતના મૃત્યુ પછી બોલિવૂડમાં એકબીજા પર આરોપ લગાવવાના ચાલુ થઇ ગયા છે. ગયા અઠવાડિયે અનુરાગ કશ્યપના ભાઈ અભિનવે સલમાન ખાન અને તેના ભાઈઓ પર આરોપ લગાવ્યો હતો કે ખાન પરિવારે તેના કરિયરને નુકસાન પહોંચાડ્યું છે. હવે અરબાઝ ખાન અને સોહેલ ખાને કાયદાનો રસ્તો પસંદ કર્યો છે અને અભિનવ સિંહે કશ્યપ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
બોલિવૂડ હંગામાના રિપોર્ટ પ્રમાણે અરબાઝે કહ્યું કે, મેં આની પહેલાં પણ કાનૂની કાર્યવાહી કરી હતી જ્યારે તેમણે ફિલ્મમાંથી દૂર અને ખાન ભાઈઓ સાથે મતભેદ કરવા વિશે પોસ્ટ કરી હતી. અરબાઝે ખુલાસો કર્યો કે, દબંગ 2 પર કામ શરુ કર્યા પછી મારી અનુભવ સાથે વાત થઇ નહોતી. મેં નથી ખબર આ બધું ક્યાંથી આવ્યું છે પરંતુ તેઓ કશ્યપ વિરુદ્ધ ન્યાયની કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યા હતા.
View this post on InstagramA post shared by || FUNNY CHACHA || (@funny.chacha) on Jun 17, 2020 at 4:44am PDT
અભિનવે કહ્યું કે, 10 વર્ષ પહેલાં દબંગ 2થી બહાર થવાનું કારણ અરબાઝ, સોહેલ અને ખાન પરિવારની મિલીભગત હતી. તેઓ ડરાવી ધમકાવીને મારું કરિયર કન્ટ્રોલ કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. અરબાઝ ખાને શ્રી અષ્ટવિનાયક ફિલ્મ્સની સાથે મારા પ્રોજેક્ટ્સ રોકી દીધા. રાજ મહેતાને ફોન કરીને ધમકી આપવામાં આવી હતી કે, જો તેઓ અભિનવ સાથે કોઈ ફિલ્મ બનાવશે તો તેનું પરિણામ ગંભીર આવશે. ત્યારબાદ અષ્ટવિનાયક ફિલ્મો માટે સાઈનિંગ મની પરત કરવા પડ્યા. ત્યારબાદ આવી જ એક ઘટના વાઈકોમ પિક્ચર્સ સાથે પણ થઇ.
રિપોર્ટ પ્રમાણે, દબંગ 2ના ડિરેક્શન માટે અરબાઝે અભિનવને ફોન કર્યો હતો તો તેમણે સલમાન ખાનની કોઈ ખલેલ ન કરવા પર જ ફિલ્મ ડિરેક્ટ કરવાની શરત પણ રાખી હતી. અરબાઝે આ વાત સલામનને કહી અને પછી કહ્યું, એક કામ કર તું દબંગ ડિરેક્ટ કરી લે. ત્યારબાદ ખાન ભાઈઓ અને અભિનવ વચ્ચે બધી ચર્ચાઓ પૂરી થઇ ગઈ. સલમાનના એક અંગતના કહેવા પ્રમાણે, ખાન પરિવારે અભિનવના કરિયરમાં કોઈ રસ દેખાડ્યો નહોતો, તેઓ પોતાની અસફળતાને સુશાંતના મોત સાથે જોડીને દેખાડો કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YOt8ij
https://ift.tt/2Ydii6j
No comments:
Post a Comment
If you have any doubts please let me know!