સુશાંત સિંહના મૃત્યુ પછી એકતા કપૂર, કરણ જોહર અને સલમાન ખાન સહિત આઠ લોકો પર કેસ ફાઈલ થયો છે. નિપોટિઝમ અને ગેંગ સ્વરૂપે બોલિવૂડમાં સક્રિય લોકો વિરુદ્ધ પાયલ રોહતગીએ તેનો ગુસ્સો ઠાલવ્યો છે. પાયલે આ બાબતે તેની આપવીતી સંભળાવી છે. એટલું જ નહીં તેણે મોદી સરકારને એકતા કપૂર અને કરણ જોહરને આપનારા સર્વોચ્ચ નાગરિક અવોર્ડ્સમાંના એક પદ્મશ્રી અવોર્ડ ન દેવાની માગ કરી છે.
View this post on InstagramA post shared by Team Payal Rohatgi (@payalrohatgi) on Jun 17, 2020 at 8:29pm PDT
આ પહેલાં બિહારના મુઝફ્ફરપરની કોર્ટમાં વકીલ સુધીર કુમાર ઓઝાએ કરણ જોહર, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા, સાજિદ નડિયાદવાલા, સલમાન ખાન, એકતા કપૂર અને દિનેશ વિજન વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે. વકીલે લગાવેલ આરોપ જો સાચા સાબિત થશે તો આ બધાને 10 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.
એકતા કપૂરે લાંબી પોસ્ટ લખી હતી
એકતા કપૂરે એક વીડિયોમાં સુશાંતને યાદ કરીને મેમરીઝ શેર કરી હતી. એકતાએ લખ્યું હતું કે, એક લાંબી બેચેન રાત પછી, કંઈક અલગ કરવાની હિંમત કરી છે. હું કઈ શેર કરી શકું છું તો તે છે બાલાજી ટેલિફિલ્મ્સના આપણા અમુક ફોટોઝ. આ મને વિચારવા મજબૂર કરે છે કે શું છીએ આપણે? આપણે ખરેખર એ લોકો માટે છીએ જે આપણને પ્રેમ કરે છે અને જેની ચિંતા કરીએ છીએ. શું આપણે ખરેખર લોકોને ઓળખીએ છીએ કે પછી માત્ર તે લોકો વિશે મંતવ્યો બાંધીએ છીએ, જે નિયમોનું પાલન નથી કરતા.
View this post on InstagramA post shared by Erk❤️rek (@ektarkapoor) on Jun 14, 2020 at 9:36pm PDT
તું ક્યારેય તારી આગામી હિટ વિશે વાત ન કરતો. તું માત્ર એસ્ટ્રોલોજી, એસ્ટ્રોનોમી, મેટા ફિઝિક્સ, શિવ હોવાના પુરાવા શોધવા વગેરે વાતોમાં રહેતો હતો. નાસામાં તારાની શોધ વિશે જાણતો હતો. આ એક કલાકાર માટે થોડું અજીબ છે. પૃથ્વી કેફેમાં બાલાજી ટીમે જ્યારે તને શોધ્યો હતો અને પછી તું ભારતનો એક મોટો સ્ટાર બની ગયો. તે બધું જ કર્યું. અમે રોજ તને સેલિબ્રેટ કરશું. અમે આશા રાખીએ છીએ કે હવે તું તારી માતા સાથે હોઈશ, જેને તું ખૂબ મિસ કરતો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3ee2NR7
https://ift.tt/3fB4ng6
No comments:
Post a Comment
If you have any doubts please let me know!