Wednesday, June 17, 2020

‘દબંગ’ના ડિરેક્ટર અભિનવ કશ્યપના આક્ષેપ પર સલીમ ખાને કહ્યું, ‘કાલના આવેલા લોકો સવાલ કરે છે’

કરન જોહર પર પેરલલ ઈન્ડસ્ટ્રી ચલાવવાના આક્ષેપોની વચ્ચે સલમાન ખાન પર પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે. સલમાનને લઈ કહેવામાં આવ્યું છે કે તે જેનાથી નારાજ હોય છે, તેને કામ મળવામાં મુશ્કેલી પડી છે. આમાં અરિજીત સિંહ, વિવેક ઓબેરોય જેવા નામ મુખ્ય છે. આ દાવો ‘દબંગ’ ફૅમ અભિનવ કશ્યપે કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અભિનવે ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં અભિનવે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે સલમાન ખાન તથા તેના પરિવાર તરફથી ધાક-ધમકી આપવામાં આવી હતી અને તેને કારણે તેમને મોટા પ્રોડક્શનહાઉસની ફિલ્મ મળી નહોતી. આ આક્ષેપો પર ખાન પરિવારે કોઈ પ્રતિક્રિયા ના આપવાનું નક્કી કર્યું છે. જોકે, ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યૂમાં સલીમ ખાને વાત જરૂરથી કરી હતી.

અભિનવે સલમાન સાથે કામ કરવાની ના પાડી હતી
સલીમ ખાને કહ્યું, ‘આ લોકો બેકાર છે. આ લોકોની પાસે કોઈ કામ ધંધો નથી. આ લોકો એ જ ઈચ્છે છે. એ લોકોકંઈ પણ ઊંધું-ચત્તુ બોલે છે અને તેના પર અમે લોકો રિએક્ટ કરીએ. 50 વર્ષની મારી કરિયર રહી છે. આ કાલના આવેલા લોકો સવાલ કરે છે. એક ફિલ્મ બનાવી હતી. બીજી ફિલ્મ ઓફર કરી તો ના પાડી દીધી હતી. ત્યારબાદ તેમની સાથે જે પણ કંઈ થયું તેના માટે અમે જવાબદાર છીએ. શું આ શક્ય છે?’

રાજ સાહેબ તથા દિલીપ સાહેબે પણ સંઘર્ષ કર્યો હતો
સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી એ સવાલો થઈ રહ્યાં છે કે આઉટસાઈડર્સને ઓછી તકો મળે છે, આથી તેમણે મેન્ટલ પ્રેશરમાંથી પસાર થવું પડે છે. ઈનસાઈડરને તો સરળતાથી તક મળી જાય છે. આના પર સલીમ ખાને જવાબ આપ્યો હતો કે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ટેલેન્ટ સિવાય કંઈ જ નથી. ઈનસાઈડર ને આઉટસાઈડર જેવું કંઈ જ ચાલતું નથી. અહીંયા કોઈનોદીકરો ના પણચાલે છે અને ના તો કોઈનાગોડફાધર. ટેલેન્ટ હોવી જરૂરી છે. જે વાત થઈ રહી છે કે આઉટસાઈડરે સંઘર્ષ કર્યો તેવો જ સંઘર્ષ રાજ સાહેબે કર્યો હતો અને દિલીપ સાહેબે પણ કર્યો હતો.

સલીમ ખાને આગળ કહ્યું હતું, ‘સાચું કહું તો હું આ બધા વિશે બોલવા જ ઈચ્છતો નથી, કારણ કે આ લોકો આ જ ઈચ્છે છે કે તેમની ગમે તેવી વાતોનો અમે જવાબ આપીએ અને પછી કારણ વગરની દલીલો શરૂ થાય. કમાલની વાત છે. આ લોકોનું ચાલે તો સલમાન પર એ આક્ષેપ મૂકી દે કે આજકાલ દુનિયામાં જે થઈ રહ્યું છે, તે બધું જ સલમાનને કારણે થઈ રહ્યું છે.’

સલીમ ખાન ક્યારેય અભિનવને મળ્યાં નથી
‘દબંગ’ના શૂટિંગ દરમિયાન અભિનવ સાથે મુલાકાત થઈ હતી કે કેમ તે સવાલના જવાબમાં સલીમ ખાને કહ્યું હતું કે તેમની કોઈ મુલાકાત થઈ નહોતી. તે જે પણ કંઈ રહ્યાં છે, તે તેમની પોતાની કલ્પના છે. એક ફિલ્મ બનાવ્યા પછી ખબર નહીં મગજમાં શું રાઈ ભરાઈ ગઈ છે કે તે શું કરી લેશે?



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
salim khan reacts on abhinav kashyap allegations


from Divya Bhaskar https://ift.tt/2YIljdN
https://ift.tt/2BbBici

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...