Friday, June 19, 2020

સુશાંત સિંહના મૃત્યુ બાદ તેના ઇન્સ્ટા ફોલોઅર્સની સંખ્યા 3 લાખ જેટલી વધી, ઇન્સ્ટાગ્રામે એક્ટરના અકાઉન્ટ પર રિમેમ્બરરિંગ ટેગ એડ કર્યો

રવિવારે સુશાંત સિંહે મુંબઈના તેના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી. તેના મૃત્યુથી ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. લોકો તેના પ્રિય એક્ટરના અચાનક મૃત્યુથી આઘાતમાં છે. મૃત્યુ બાદ સુશાંતના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં ઘણો વધારો થયો છે. અગાઉ તેના 9 લાખ જેટલા ફોલોઅર્સ હતા પરંતુ મૃત્યુ બાદ 12.5 લાખ જેટલા ફોલોઅર્સ થઇ ગયા છે. ઇન્સ્ટાગ્રામે એક્ટરના આઈડીને મેમોરિઅલાઇઝ કર્યું છે.

મેમોરિઅલાઇઝ આઈડીમાં અકાઉન્ટમાં બાયોમાં રિમેમ્બરરિંગ ટેગ એડ કરવામાં આવે છે. આવા અકાઉન્ટમાં કોઈપણ વ્યક્તિ લોગ ઈન કરી શકતું નથી. આવા અકાઉન્ટ્સ વ્યકતિના મૃત્યુ બાદ તેની યાદમાં બનાવવામાં આવે છે. મેમોરિઅલાઇઝ આઈડી ઇન્સ્ટાગ્રામની એક્સપ્લોર જેવી જગ્યા પર જોવા મળતા નથી. અકાઉન્ટની કોઈપણ માહિતી, પોસ્ટ, કમેન્ટ્સ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી.

34 વર્ષીય સુશાંત સિંહના આત્મહત્યાના કેસમાં મુંબઈ પોલીસ વિવિધ લોકોની પૂછપરછ કરી રહી છે. સુશાંતના અંતિમ સંસ્કાર સોમવારે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. સુશાંતને ચાર બહેનો છે. તેના પિતા કે.કે સિંહ, બહેનો અને અન્ય પરિવારના સભ્યોએ સુશાંતની અસ્થિઓનું વિસર્જન પટનામાં ગુરુવારે ગંગા નદીમાં કર્યું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput's Instagram Account Memoralised


from Divya Bhaskar https://ift.tt/2YgFFM4
https://ift.tt/2zLkd8F

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...