14 જૂનના સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ પોલીસ સતત તેની આત્મહત્યાનું કારણ જાણવાના પ્રયત્ન કરી રહી છે. હવે પોલીસે કારણ જાણવા માટે પ્રોફેશનલ એન્ગલ તપાસવાના શરૂ કરી દીધા છે. આ માટે પોલીસે ઇન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ પાસેથી સુશાંત સાથે થયેલ કોન્ટ્રાક્ટની કોપી મગાવી છે. પ્રોડક્શનને બને એટલા જલ્દી સુશાંત સાથે સાઈન કરેલ અત્યાર સુધીના બધા કોન્ટ્રાક્ટ પોલીસને જમા કરવાના છે.
અમુક દિવસ પહેલાં ખબર હતી કે સુશાંતની છિછોરે ફિલ્મ હિટ થયા બાદ મોટા બેનરની 7 ફિલ્મ્સ ઓફર થઇ હતી પરંતુ પછી પ્રોડ્યુસર્સે તેને હટાવીને રણવીર સિંહ અથવા કોઈ બીજા એક્ટરને સાઈન કરી લીધા હતા. અમુક લોકોનું માનવું છે કે ફિલ્મ્સ હાથમાંથી જતી રહેવાના કારણે સુશાંત આત્મહત્યા કરવા મજબૂર થઇ ગયો પણ પોલીસે હજુ આ વાતની પુષ્ટિ નથી કરી. પોલીસ કોન્ટ્રાક્ટ જોઈને આર્થિક એન્ગલની સાથે બોલિવૂડના સિન્ડિકેટ કેસમાં સત્યની શોધ કરી રહી છે.
સુશાંતના નજીકના લોકો સાથે પૂછપરછ
સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીએ તેના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે જુલાઈ 2019થી 3 ફેબ્રુઆરી 2020 સુધી તેઓ સાથે હતા અને છિછોરે ફિલ્મના પ્રમોશનમાં સુશાંતની સાથે હતી. સુશાંત બોલિવૂડ સિવાય રિયાલિસ્ટિક વર્ચ્યુઅલ ગેમ્સની એક કંપની બનાવવાની તૈયારી કરી રહ્યો હતો.
પર્યાવરણ અને સમાજ સાથે કામ કરવા ઈચ્છતો હતો એક્ટર
આ સિવાય સુશાંત નેશનલ ઇન્ડિયા ફોર વર્લ્ડ નામથી એક સોશિયલ સર્વિસ સાથે જોડાયેલ એક સંસ્થા બનાવવાની તૈયારીમાં હતો જે કોલેજના સ્ટુડન્ટ્સ સાથે મળીને પર્યાવરણ અને સમાજ માટે કામ કરવા ઈચ્છતો હતો. જોકે, આ કંપની રજિસ્ટર થઇ કે નહીં તે વિશે હજુ માહિતી મળી નથી. સુશાંતનો જિનિયસીસ એન્ડ ડ્રોપ આઉટ નામનો સોશિયલ પ્રોજેક્ટ હતો જેમાં સોસાયટીમાં ફેઈલ થયેલ પણ જિનિયસ લોકોને લઈને એક પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hJNBxa
https://ift.tt/3fC2QXe
No comments:
Post a Comment
If you have any doubts please let me know!