Friday, June 19, 2020

મધ્યપ્રદેશ રાજપૂત સમાજે CBI તપાસની માગ કરી, કરણ જોહર વિરુદ્ધ FIR કરવા માટે અરજી કરી

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને લઈને મધ્યપ્રદેશ રાજપૂત સમાજે CBI તપાસની માગ કરી છે. સાથે જ તેમણે ફિલ્મમેકર કરણ જોહર સહિત બોલિવૂડના અમુક લોકો વિરુદ્ધ કેસ ફાઈલ કરવાની માગ કરી. સમાજે રિલીઝ કરેલ સ્ટેટમેન્ટ મુજબ, સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર લોકો અને તેના મૃત્યુનું સત્ય દુનિયા સામે આવવું જોઈએ.

સંસ્થાએ તેમના અધ્યક્ષ લેફ્ટનન્ટ વિનય ભદોરિયાના નેતૃત્ત્વમાં ગુરુવારે શહેરના હબીબગંજ પોલીસ સ્ટેશન જઈને પોલીસને આ બાબતે માગ પત્ર સોંપ્યો. ભદોરિયાના જણાવ્યા મુજબ, સુશાંત રાજપૂત સમાજના ટેલેન્ટેડ એક્ટર હતા. આવામાં ક્યાં કારણોસર તેણે આવું પગલું ભર્યું, તેની તપાસ થવી જોઈએ.

સેલેબ્સના સ્ટેટમેન્ટનો હવાલો આપ્યો
પોલીસને આપવામાં આવેલ માગ પત્રમાં રાજપૂત સમાજ તરફથી કરણ જોહર વિરુદ્ધ કેસ ફાઈલ કરવાની માગ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કરણ જોહર અને તેની કંપનીના ત્રાસથી કંટાળી સમાજના કલાકારે તેનું જીવન ટૂંકાવી દીધું. તેમની વાતને સમર્થન આપવા સુશાંતના મૃત્યુ બાદના કંગના રનૌત, ડિરેક્ટર શેખર કપૂર અને મુકેશ ભટ્ટના સ્ટેટમેન્ટનો ઉલ્લેખ પણ કર્યો.

en

બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં કેસ દાખલ
આ પહેલાં પણ આ જ બાબતે બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, આદિત્ય ચોપરા, ભૂષણ કુમાર, સાજિદ નડિયાદવાલા, દિનેશ વિજન અને સંજય લીલા ભણસાલી વિરુદ્ધ કેસ ફાઈલ થયો છે. વકીલ સુધીર કુમાર ઓઝાએ આ કેસ ફાઈલ કર્યો છે જેના પર ટૂંક સમયમાં સુનવણી થશે. ફરિયાદમાં સુશાંત સિંહના પિતા કે.કે સિંહ, કંગના રનૌતના સ્ટેટમેન્ટને આધાર તરીકે લેવાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
MP Rajput society demands CBI inquiry, submits memorandum against Karan Johar


from Divya Bhaskar https://ift.tt/2YcF4LC
https://ift.tt/3egEGkH

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...