Tuesday, June 23, 2020

સોનાક્ષી-સાકિબ તથા આયુષ બાદ નેહા કક્કરે સો.મીડિયામાંથી બ્રેક લેવાની જાહેરાત કરી, પછી પોસ્ટ ડિલીટ કરી

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી પણ આમાંથી બાકાત નથી. હાલમાં જ સતત નેપોટિઝ્મ તથા કેમ્પિંગને લઈ સવાલ થતાં સોનાક્ષી સિંહા, સાકિબ સલીમ તથા આયુષ શર્મા જેવા સેલેબ્સે ટ્વિટરને અલવિદા કહી દીધું છે. આ દરમિયાન જાણીતી સિંગર નેહા કક્કરે પણ સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી હતી પરંતુ પછી તરત જ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.

નેહાએ શું કહ્યું હતું પોસ્ટમાં?
રવિવાર (21 જૂન)ના રોજ નેહાએ પોતાના ઈન્સ્ટા અકાઉન્ટથી સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. સિંગરે ભાવુક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘ફરીથી સૂવા જઈ રહી છું. પ્લીઝ, જ્યારે દુનિયા સારી બની જાય ત્યારે મને ઉઠાડી દેજો. દુનિયા જ્યાં આઝાદી, પ્રેમ, માન, કાળજી, મસ્તી, સ્વીકાર કરનારા હોય અને સારા લોકો હોય. નફરત, ઈર્ષ્યા, નેપોટિઝ્મ, જજમેન્ટ્સ, બોસી લોકો, હિટલર, મર્ડર, સુસાઈડ અને ખરાબ લોકો હોય ત્યાં નથી રહેવું. ગુડ નાઈટ સૂવા જઈ રહી છું. હેરાન ના કરો. મરવા નથી જતી.. માત્ર થોડાં દિવસ માટે દૂર જઈ રહ્યું છે.’ જોકે, આ પોસ્ટ કર્યાંના થોડાંક જ કલાકો બાદ નેહાએ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી અને આ પોસ્ટ ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર કરી હતી.

સોનુ નિગમે ભૂષણ કુમારને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીનો માફિયા ગણાવ્યો
સુશાંતના નિધન બાદથી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં મૂવી માફિયા તથા નેપોટિઝ્મને લઈ સવાલો થઈ રહ્યાં છે. હાલમાં જ સોનુ નિગમે પણ ભૂષણ કુમારને સિગિંગ ઈન્ડસ્ટ્રીનો માફિયા કહીને અનેક ખુલાસા કર્યાં હતાં. ત્યારબાદ અદનાન સામી તથા મોનાલુ ઠાકુરે સોનુ નિગમનું સમર્થન કરીને પોતાના વિચાર સામે મૂક્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Sonakshi-Saqib and Ayush now Neha Kakkar announced to take a break from Social Media, then deleted the post.


from Divya Bhaskar https://ift.tt/3dsydBU
https://ift.tt/2YrgiHN

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...