Tuesday, June 23, 2020

રિયા ચક્રવર્તી પછી પોલીસે પૂર્વ મેનેજર રોહિણીની નવ કલાક પૂછપરછ કરી

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં ઘણાં લોકોની પૂછપરછ થઈ રહી છે. આ દરમિયાન બાંદ્રા પોલીસે સુશાંતની પૂર્વ મેનેજર રોહિણી અય્યરને પૂછપરછ માટે બોલાવી હતી. સોમવાર, 22 જૂનના રોજ રોહિણીની 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં સુશાંતની ખાસ મિત્ર રિયાની પણ નવ કલાકથી વધુ સમય સુધી પોલીસે પૂછપરછ કરી હતી. સુશાંતના કેસમાં અત્યાર સુધી 15 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે, જેમાં સુશાંતની સાથે રહેતો હાઉસ સ્ટાફ, ફ્લેટમેટ તથા મેનેજર સામેલ છે.

સુશાંતના ડોક્ટરની પણ પૂછપરછ થશે
રિપોર્ટ્સ તથા નિવેદનોને આધારે સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનની સારવાર કરાવતો હતો. આ સાથે જ એ વાત સામે આવી છે કે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મનોચિકિત્સક કેરસી ચાવાડાએ કહ્યું હતું કે સુશાંત પૂર્વ પ્રેમિકા અંકિતા સાથેના બ્રેકઅપને ભૂલી શક્યો નહોતો. જોકે, કેરસી ચાવડાએ હજી સુધી પોલીસમાં કોઈ નિવેદન આપ્યું નથી. મુંબઈ પોલીસ કેરસી ચાવડાને પૂછપરછ માટે બોલાવી શકે છે, તેવી ચર્ચા છે.

એજાઝ ખાને CBI તપાસની માગણી કરી
વિવાદોમાં રહેવા માટે જાણીતા બનેલા એજાઝ ખાને સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું કે 26 જૂનના રોજ સુશાંતનું તેરમુ છે. આ દિવસે દરેક લોકો મીણબત્તી લઈને સુશાંતના નિધનની CBI તપાસની માગણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો, જેથી સુશાંતના મોત પાછળનું સાચું કારણ બહાર આવી શકે. જોકે, એજાઝે આ પહેલાં એક વીડિયોમાં નેપોટિઝ્મના મામલાને હિંદુ-મુસ્લિમ બનાવવાનો આક્ષેપ ભાજપના આઈટી સેલ પર કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Rhea Chakraborty, police questioned former manager Rohini for nine hours


from Divya Bhaskar https://ift.tt/2VbO0yP
https://ift.tt/2YpZnoZ

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...